કોલકાતા: નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકવાર ફરીથી મેદાનમાં આવી ગયા છે અને વ્હીલચેર પર રેલી કરી રહ્યા છે. મમતા બેનર્જીએ કોલકાતાના માયો રોડથી વ્હીલચેર પર રોડ શોની શરૂઆત કરી. તેઓ હાજરા સુધી જશે. રેલી શરૂ કરતા પહેલા મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે જનતાનું દુ:ખ તેમને વધુ મહેસૂસ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલી પહેલા મમતા બેનર્જીની ટ્વીટ
કોલકાતામાં રેલી અગાઉ મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે અમે નિર્ભિક થઈને લડતા રહીશું. હું હજુ પણ ખુબ દર્દમાં છું. પરંતુ મને મારા લોકોના દર્દ વધુ મહેસૂસ થાય છે. પોતાની જમીનની રક્ષા કરવા માટે આ લડતમાં અમે ખુબ ખુબ સહન કર્યું છે અને અમે વધુ સહન કરીશું. પરંતુ અમે ક્યારેય કાયરની જેમ ઝૂકીશું નહીં.


Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube