કલકત્તા: ભાજપના પૂર્વ નેતા અને કેંદ્રીય મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા (Yashwant Sinha) તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તે આજે કલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના મુખ્યાલયમાં પહોંચ્યા. માનવામાં આવી રહ્યું છે કે તે બંગાળની ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજકીય સલાહકાર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને ખેડૂતોની કોઇ ચિંતા નથી- યશવંત સિંહા
TMC માં જોડાયા બાદ યશવંત સિંહા (Yashwant Sinha) એ કહ્યું કે પ્રજાતંત્રનો અર્થ છે કે સરકારના પ્રતિનિધિ 24 કલકા જનતા પ્રત્યે પોતાના કર્તવ્યોનું પાલન કરે. દેશના અન્નદાતા ગત 3 મહિનાથી દિલ્હીની સરહદ પર બેસેલા છે અને કોઇને કોઇ ચિંતા નથી. દેશમાં શિક્ષણ-સ્વાસ્થ્ય ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે પરંતુ સરકારને કોઇ ફરક પડતો નથી. તેમણે દાવો કર્યો કે 'તેમાં કોઇ શંકા નથી કે તૃણમૂલ કોંગ્રેસ ખૂબ મોટા બહુમત સાથે સત્તામાં આવશે. બંગાળમાંથે આખા દેશમાં એક સંદેશ જવો જોઇએ કે જે કંઇ મોદી અને શાહ દિલ્હી ચલાવી રહ્યા છે, હવે દેશ તેને સહન નહી કરે. 


Election લડવા માટે 4 વર્ષમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાર્ટી બદલી, જાણો ભાજપમાં કેટલા ગયા?


'આજની સરકાર કચડવામાં વિશ્વાસ ધરાવે છે'
તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં અત્યારે રાજ કરી રહેલી રૂલિંગ પાર્ટીનો એક જ હેતુ છે કે કોઇપણ પ્રકારે ચૂંટણી જીતો અને પોતાનો વિજય ધ્વજ ફરકાવો. યશવંત સિંહા (Yashwant Sinha) એ કહ્યું કે આજની સરકાર લોકોની જરૂરિયાતો પુરી કરવાના બદલે તેને કચડવામાં વિશ્વાસ ધરાવે છે. તેમણે દાવો કર્યો કે અટલજી અને આજના સમયની ભાજપમાં જમીન આકાશનો ફરક છે. તે જમાનામાં તમામ પક્ષ અને સામાન્ય લોકોનું સાંભળવામાં આવતું હતું પરંતુ આજે સંભળાવવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube