ઉન્નાવ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. આ બધા વચ્ચે તમામ રાજકીય પક્ષોના નેતાઓ જનસભા અને રેલીઓ કરી રહ્યા છે. આ કડીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો પ્રચાર કરવા માટે રવિવાર સાંજે યુપીના ઉન્નાવ પહોંચ્યા. જ્યાં એક કાર્યકર્તાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. ત્યારબાદ શું થયું તે ખાસ જાણવા જેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પણ કાર્યકરના ચરણ સ્પર્શ કર્યા
ભાજપના નેતા અને હરિયાણાના પ્રભારી અરુણ યાદવે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે કાર્યકર પીએમ મોદીને પગે લાગે છે તો પીએમ મોદી પહેલા તો કાર્યકરને રોકે છે અને ત્યારબાદ તેઓ પોતે કાર્યકરને પગે લાગે છે. 


પ્રધાનમંત્રી કેમ પગે લાગ્યા?
અરુણ યાદવે ટ્વીટ કરી કે 'એક કાર્યકરના ચરણ સ્પર્શ તો ફક્ત મોદી જ કરી શકે છે. કારણ એ છે કે શ્રીરામની મૂર્તિ આપનારા પાસે પોતાના ચરણ સ્પર્શ ન કરાવી શકાય.' વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર્યકરે પહેલા તો પીએમ મોદીને ભગવાન શ્રીરામની મૂર્તિ ભેટ કરી અને ત્યારબાદ તેમને પગે લાગ્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube