નવી દિલ્હી: સીબીઆઇમાં નંબર 1 અને નંબર 2 વચ્ચે મચેલા ઘમાસાણના લીધે એજન્સીની છબિ પ્રભાવિત થઇ રહી છે. કેંદ્રની વધતી જતી ચિંતા વચ્ચે સૂત્રોના જણાવ્યા અનુસાર સીવીસીને ભલામણ કરવામાં આવી છે કે બંને ટોચના અધિકારીઓ પાસેથી તેમના અધિકારો છિનવી લેતાં બળજબરીપૂર્વક રજા પર મોકલી દેવા જોઇએ. આ ભલામણના આધારે નિર્ણય લેતાં સરકારે વરિષ્ઠ આઇપીએસ અધિકારી એમ નાગેશ્વરને વચગાળાના ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ નાગેશ્વર રાવ
1986 બેચના ઓડિશા કેડરના આઇપીએસ અધિકારી છે. આ પહેલાં સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા. મોડી રાત્રે તેમને તાત્કાલિક અસરથી સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર નિમવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇ નિર્દેશક આલોક વર્મા અને નંબરનું સ્થાન ધરાવનાર સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનો એકબીજા સાથે વિવાદ ચાલી રહ્યો છે અને બંને એકબીજા વિરૂદ્ધ આરોપ લગાવી રહ્યા છે.
CBI ડાયરેક્ટર આલોક વર્મા પર કેન્દ્રની મોટી કાર્યવાહી, નાગેશ્વર રાવ સંભાળશે જવાબદારી


આલોક વર્મા
યુટી કેડરના 1979 બેચના આઈપીએએસ ઓફિસર છે આલોક વર્મા. ફેબ્રુઆરી, 2017થી તેઓ સીબીઆઈના ચીફ છે. સીબીઆઈ પહેલા તેઓ દિલ્હીના પોલીસ કમિશ્નર હતા.

CBI No.2 રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત, 29 ઓક્ટોબર સુધી ધરપકડ નહીં


મોઈન કુરેશી
મોઈન કુરેશીએ એક નાનકડા કતલખાનાથી શરૂઆત કરી હતી. હાલ તેઓ ભારતના સૌથી મોટા માંસનો વેપાર કરતા ઉદ્યોગપતિ બની ગયા છે. તેઓ પૂર્વ સીબીઆઈ પ્રમુખ એપી સિંહ અને રંજીત સિન્હાના નજીકના મિત્ર હતા. હાલ એજન્સી તેમની સામે ટેક્સ ચોરી, લોન્ડ્રિંગ અને ભ્રષ્ટાચારના આરોપોનો કેસ ચલાવી રહી છે. 2011માં તેમણે પોતાની દીકરીના લગ્નમાં પાકિસ્તાનના જાણીતા ગાયક રાહત ફતેહ અલી ખાનને બોલાવ્યા હતા. 


સતીષ બાબુ સના
તેઓ હૈદરાબાદના બિઝનેસમેન છે. એક સમયે તેઓ આંધ્રપ્રદેશ સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારી હતી. નોકરી છોડીને તેમને અનેક કંપનીઓમાં કામ કર્યું. પોલિટિક્સમાં તેમની ઉંચી વગ છે. 2015માં મોઈન કુરેશી વિર્દુધ એક ઈડી કેસમાં સૌથી પહેલીવાર સતીષ બાબુ સનાનું નામ સામે આવ્યું હતું. આ તપાસ અસ્થાનાની ટીમે જ કરી હતી. 


મનોજ અને સોમેશ પ્રસાદ
મનોજ દૂબઈથી કામ કરવા વચેટિયો છે, જેની ધરપકડ સીબીઆઈએ કરી છે. તે ઈન્વેસ્ટર બેંકર તરીકે પ્રખ્યાત છે અને પોતાના ભાઈ સોમેશ સાથે મળીને તે અનેક બિઝનેસ કરે છે. બંને યુપીના છે, અને એક દાયકાથી વિદેશમાં છે. દૂબઈ પહેલા સોમેશ લંડનમાં હતા. સનાએ દાવો કર્યો છે કે, મનોજે તેનું નામ ક્લિયર કરવા માટે 5 કરોડ રૂપિયા માંગ્યા હતા, જે અસ્થાનાને આપવાના હતા. 


કેવી રીતે શરૂ થઈ હતી મહાભારત
આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચેનો વિવાદ ઓક્ટોબર 2017માં જ શરૂ થયો હતો, જેમાં વર્માએ સીવીસીના નેતૃત્વવાળી પાંચ સદસ્યોની પેનલની બેઠકમાં અસ્થાનાની સ્પેશિયલ ડાયરેક્ટર તરીકેના પ્રમોશન પર વાંધો ઉઠાવ્યો હતો. વર્માનું માનવું હતું કે, અધિકારીનો ઈન્ડક્શનને લઈને તેમના દ્વારા કરાયેલ અરજીને અસ્થાનાએ બગાડી મૂકી છે. તેમણે અસ્થાના પર એ પણ આરોપ લગાવ્યો કે, સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડમાં અસ્થાનાના રોલને કારણે સીબીઆઈ વિવાદમાં ફસાઈ છે. જોકે, પેનલે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો, અને અસ્થાનાને પ્રમોટ કર્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ અસ્થાનાને આ મામલે ક્લિન ચીટ આપી દીધી હતી.