એવું કહેવાઈ રહ્યું છે કે સરકાર જલદી મજૂરીની વ્યાખ્યા બદલવા જઈ રહી છે. હવે લઘુત્તમ મજૂરી નક્કી કરવાની જગ્યાએ પરિવારની જરૂરિયાત પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. સરકારે 2025 સુધીમાં મિનિમમ વેજ (લઘુત્તમ વેતન)ને ખતમ કરીને તેની જગ્યાએ લિવિંગ વેજ લાગૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) ની મદદ લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ શ્રમ વિભાગના  અધિકારીઓએ ILO પાસે મદદ માંગી છે. આ માટે ક્ષમતા નક્કી કરવા, ડેટા ભેગો કરવા અને લિવિંગ વેજનો શું પ્રભાવ પડશે તે જાણવા માટે ILO પાસે મદદ માંગવામાં આવી છે. હાલ દેશમાં લઘુત્તમ પગારના આધાર પર શ્રમિકોને ચૂકવણી કરાય છે. જે સમગ્ર દેશમાં સમાન રીતે લાગૂ થાય છે પરંતુ સરકાર શ્રમિકોના ખર્ચના આધાર પર પગાર નક્કી કરવાની જરૂર મહેસૂસ કરી રહી છે. 


કેવું હશે લિવિંગ વેજ
લિવિંગ વેજ હેઠળ એક મજૂરની આવક તેની મૂળભૂત જરૂરિયાતોના આધારે નક્કી કરાશે. જેમાં હાઉસિંગ, ભોજન, સ્વાસ્થ્ય, શિક્ષણ અને કપડાંની જરૂરિયાતોના આધાર પર ચૂકવણી કરવામાં આવશે. આથી નવું વેજ લાગૂ થતા શ્રમિકોની આવક વધી જશે. કારણ કે આ જરૂરિયાતોને પૂરી કરવા માટે સ્પષ્ટ રીતે વધુ પૈસાની જરૂર પડશે. આ મામલા સાથે જોડાયેલા એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે અમે એક વર્ષમાં મિનિમમ વેજથી આગળ વધી જઈશું. 


શું થશે ફાયદો
ભારત ILO નો સંસ્થાપક સભ્ય છે. અને 2022થી તેના ગવર્નિંગ બોડીનો સભ્ય દેશ છે. અધિકારીઓએ કહ્યું કે સરકાર 2020 સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)ને મેળવવાની દિશામાં કામ કરી રહી છે. એક ધારણા એ પણ છે કે લઘુત્તમ વેતનને લિવિંગ એજ સાથે બદલવાથી લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના ભારતના પ્રયત્નોને ગતિ મળી શકે છે. અધિકારીએ કહ્યું કે અમે લિવિંગ એજના અમલીકરણથી થનારા સકારાત્મક આર્થિક પરિણામો માટે ક્ષમતા નિર્માણ, ડેટાના વ્યવસ્થિત સંગ્રહ અને પુરાવા માટે ILO પાસે મદદ માંગી છે. 


ભારતમાં 50 કરોડ કરતા વધુ વર્કર
ILO ના ગવર્નિંગ બોડીની 14મી માર્ચના રોજ જીનેવામાં થયેલી 350મી બેઠકમાં લઘુત્તમ પગાર સંલગ્ન સુધારાઓને મંજૂરી આપવામાં આવી. ભારતમાં 50 કરોડ કરતા વધુ વર્કર છે. જેમાંથી 90 ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે. તેમને રોજ ઓછામાં ઓછો 176 રૂપિયા કે તેનાથી વધુ પગાર મળે છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કયા રાજ્યમાં રહો છો. જો કે રાષ્ટ્રીય સ્તર પર લઘુત્તમ પગારમાં 2017થી કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. તે રાજ્યો માટે ફરજિયાત નથી અને એટલે જ કેટલાક રાજ્યોમાં તેનાથી પણ ઓછો પગાર મળે છે. વર્ષ 2019માં પાસ થયેલા વેતન સંહિતાને હજુ લાગૂ કરવાનું બાકી છે. જેમાં એક વેજ ફ્લોરનો પ્રસ્તાવ છે જે તમામ રાજ્યો માટે ફરજિયાત હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube