નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે વિપક્ષનો મોટો હોબાળો જોવા મળ્યો. શરૂ થતાની સાથે જ બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી. જો કે આ બધા વચ્ચે લોકસભામાં આજે નવા કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ રજુ કરવામાં આવ્યું અને હોબાળા વચ્ચે પાસ પણ થઈ ગયું. અત્રે જણાવવાનું કે શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ થાય અને શાંતિ પણ હોય. સરકાર દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા આવતી કાલ સુધી સ્થગિત
લોકસભાને આવતી કાલ 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 


રાજ્યસભામાં કૃષિ કાયદા પર લેવાનું બિલ રજુ
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગે ફરી શરૂ થતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ ઉપલા ગૃહમાં રજુ કર્યું. જો કે બિલ રજુ થતા જ વિપક્ષનો હોબાળો ફરીથી શરૂ થઈ ગયો. જો કે આ ભારે હોબાળા વચ્ચે કાયદા પરત લેવા માટે રજુ કરાયેલું બિલ ધ્વનિમતથી પસાર થઈ ગયું. આ અગાઉ લોકસભામાં રજુ કરાયું હતું અને ત્યારે પણ ધ્વનિમતથી બિલ પાસ થયું હતું. કૃષિ કાયદા પાછા લેવા માટેનું બિલ પાસ થયા બાદ રાજ્યસભાને અડધા કલાક માટે સ્થગિત કરાઈ છે. 


Georgia: યુવતીએ પોતાના જ પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી, પોલીસ પહોંચી તો સામે આવી ચોંકાવનારી વાત


વિપક્ષ કયા મુદ્દા પર ઘેરશે?
હવે આ તમામ મુદ્દે રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે MSP માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે. 


કોંગ્રેસ નેતાએ એ વાતનો પણ અંદેશો જતાવ્યો કે સરકાર ફરી પાછા ફેરફાર કરીને કૃષિ કાયદા પાછા લાવી શકે છે. આ અંગે તેઓ કહે છે કે સરકારે કૃષિ કાયદા પાછા જરૂર લીધા છે પરંતુ પીએમ મોદી પોતે માને છે કે તેઓ પોતાનો સંદેશો ખેડૂતોને બરાબર સમજાવી શક્યા નહીં. આવામાં બની શકે કે સરકાર થોડા ફેરફાર સાથે આ કાયદા પાછા લાવવાનું કામ કરે. 


Ajab Gajab News: ટોઈલેટ પેપરનો એવી જગ્યાએ કર્યો ઉપયોગ..સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો photo


સરકારની શું છે રણનીતિ?
સર્વપક્ષીય બેઠકમાં કુલ 31 પાર્ટીઓએ ભાગ લીધો હતો. પરંતુ દર વર્ષ આ બેઠકનો ભાગ રહેનાર પીએમ મોદી પોતે આ વખતે બેઠકમાં હાજર રહ્યા નહતા. જેના પર મલ્લિકાર્જૂન ખડગેએ આપત્તિ પણ જતાવી. પરંતુ સરકારના કેટલાક મહત્વપૂર્ણ કામ હોવાના કારણે પીએમ બેઠકમાં આવ્યા નહીં. આ બાજુ કેન્દ્ર તરફથી આશ્વાસન અપાયું છે કે દરેક એવા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે જેને ચેરમેન અને સ્પીકરની સ્વિકૃતિ હશે. 


અત્રે જણાવવાનું કે સંસદનું શિયાળુ સત્ર આજથી લઈને 23 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. આ દરમિયાન સરકાર દ્વારા કુલ 26 બિલ રજુ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube