હવાઈઃ જ્યોર્જ નામના શંખનું 1 જાન્યુઆરી, 2019ના રોજ 14 વર્ષની વયે મોત થયું છે, તે એચાટિનેલા એપેક્સફૂલ્વા (Achatinella apexfulva) પ્રજાતિનો સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવિત શંખ હતો, તેના મૃત્યુથી હવાઈ પ્રજાતિના શંખ હવે પૃથ્વી પરથી નામશેષ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો જન્મ થયા બાદ તેની પ્રજાતિનો તે એકમાત્ર શંખ હતો. તેનો જન્મ યુનિવર્સિટી ઓફ હવાઈ ખાતે આવેલી લેબોરેટરીમાં થયો હતો. જ્યોર્જ પ્રજાતિનો શંખ હોવાને કારણે લેબોરેટરી દ્વારા તેને 'Lonesome George' નામ અપાયું હતું. યુનિવર્સિટી ઓફ હવાઈના પ્રોફેસર એમિરટ્સ માઈકલ હેડફિલ્ડે જણાવ્યું કે, એચાટિનેલા એપેક્સફૂલ્વા છેલ્લા એક દાયકા દરમિયાન હવાઈ ટાપુઓ પરથી નામશેષ થયેલી શંખની વિવિધ પ્રજાતિમાં સામેલ થઈ ગયો છે. 


ઉત્તરાયણમાં તલના લાડુ, ચીકી ખાવાનું છે ખાસ મહત્વ, જાણો કારણ 


માઈકલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "હવાઈ ટાપુ પર લગભગ 800 પ્રજાતિના શંખ જોવા મળતા હતા. તેમાંથી ત્રણ ચતુર્થાંશ જેટલી પ્રજાતિ આજે નામશેષ થઈ ગઈ છે. અત્યારે હવાઈ ટાપુ પર અન્ય 10 જેટલી પ્રજાતિના શંખ જીવતા છે, પરંતુ તે પણ આગામી 10 વર્ષમાં તે પણ નામશેષ થઈ જશે."


[[{"fid":"198839","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


માઈકલ શંખોની પ્રજાતિને બચાવવા માટે એક લેબોરેટરી ચલાવે છે. તેમણે જ્યોર્જ પ્રજાતિના લગભગ 10 જેટલા શંખને ભેગા કર્યા હતા. તેમાંથી મૃત્યુ પામનારો જ્યોર્જ અંતિમ હતો. 


પેરિસની પ્રથમ 'ન્યૂડિસ્ટ' રેસ્ટોરન્ટ થઈ રહી છે બંધ, જાણો કારણ


માઈકલે શંખોની પ્રજાતિના નામશેષ થવા અંગેનું કારણ જણાવ્યું કે, હવાઈ ટાપુ ઉપર મોટા પ્રમાણમાં શંખોની પ્રજાતિ રહેતી હતી, પરંતુ ઉંદરો અને વસતી વધારાની સાથે-સાથે શંખોની પ્રજાતિ ધીમે-ધીમે નાશ પામવા લાગી. તેમણે જણાવ્યું કે, ટાપુ પર આવતા જહાજો સાથે મોટી સંખ્યામાં ઉંદરો પણ આવ્યા હતા. જેમણે મોટી સંખ્યામાં શંખોને ખાવાનું શરૂ કર્યું હતું. જેમ-જેમ ટાપુ પર વસતી વધવા લાગી તેમ-તેમ શંખોએ પર્વતો ઉપર ચઢવાનું શરૂ કર્યું હતું. અહીં ડૂક્કર, બકરી અને હરણોની જંગલમાં રહેલી વસતીને કારણે પણ તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું હતું. 


વિશ્વના અન્ય સમાચાર જાણવા અહીં કરો ક્લિક...