હરિદ્વારઃ Wrestlers Immerse Medals: ભારતીય કુશ્તી સંઘ (WFI) ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા રેસલરોએ મંગળવારે પોતાનો મેડલ હરિદ્વારમાં ગંગા નદી (Ganga River) માં પોતાનો મેડલ વહાવવા પહોંચ્યા હતા. પરંતુ કિસાન નેતાએ તેને મનાવી લીધા છે. રેસલરોએ ખેડૂત નેતા નરેશ ટિકૈતની વાત માનતા પોતાના મેડલ તેમને સોંપી દીધા છે. સાથે રેસલરો હરિદ્વારથી પરત ફરી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે નરેશ ટિકૈતે રેસલરો પાસે પાંચ દિવસનો સમય માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં દિલ્હી પોલીસ તરફથી કસ્ટડીમાં લેવા અને જંતર-મંતર (Jantar-Mantar)થી ધરણા સ્થળથી હટાવ્યા બાદ રેસલરોએ મંગળવારે કહ્યું હતું કે મહેનતથી જીતેલા મેડલ ગંગા નદીમાં ફેંકી દેશું અને ઈન્ડિયા ગેટ પર આમરણ અનશન પર બેસીશું.


'ભાજપ કાર્યકર્તા છે ચેન્નઈને જીત અપાવનાર રવીન્દ્ર જાડેજા', તમિલનાડુ BJP ચીફનો દાવો


કોંગ્રેસે મેડલ ન વહાવવાની અપીલ કરી હતી
આ સિવાય કોંગ્રેસે કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી હતી. કોંગ્રેસના મહાનગર પ્રમુખ સતપાલ બ્રહ્મચારીએ કહ્યું કે તમારી મહેનત ગંગામાં વેડફશો નહીં, સંઘર્ષના બીજા રસ્તા પણ છે. તે જ સમયે, ખેડૂત નેતા રાકેશ ટિકૌતે કુસ્તીબાજોને તેમના મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube