લખનઉ : દિલ્હી- યુપી બોર્ડર પર ખેડૂતોના આંદોલન પર યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આ દેશની અંદર વિગત સાડા ચાર વર્ષથી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર કાર્યકરી રહી છે. આઝાદી બાદ પહેલી વાર કોઇ પ્રકારનાં એજન્ડામાં ખેડૂતો આવ્યા છે. મોદીજીના નેતૃત્વમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સ્પષ્ટ દેખાય છે. ખેડૂત સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનાં સમાધાન મોદીજીની સરકારે કર્યું છે. સ્વાયલ હેલ્થ કાર્ડનો મુદ્દે રહ્યો હોય અથવા તો ખેડૂતોના માટે બીજ અને ખાદ્યની ઉપલબ્ધતા હોય. મોદીજીના નેતૃત્વમાં સરકારના આવ્યા બાદ નીમ કોટેડ યૂરિયાની ઉપલબ્ધતા કરાવવા માટે જે કાર્યવાહી ભારત સરકારે કરી છે તેનાં કારણે યૂરિયાની કાળાબજારી અટકી ગઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીના સીએમએ કહ્યું કે, આ પ્રકારે વડાપ્રધાન પાક વીમા યોજના, મનરેગાને ખેતી અનુકુળ બનાવવા, વડાપ્રધાન કૃષી સિંચાઇ યોજનાના માધ્યમી ખેડૂતોની ખેતોને પાણી આપવાની સાથે સાથે ખેડૂતોની પડતરને ઘટાડવા અને ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે કરવામાં આવેલ જે મહત્વપુર્ણ ઉપાય છે તેઓ ખુબ જ સરાહનીય પ્રયાસ છે. 

જે સમયે મોદીજીની સરકાર આવી હતી તે વર્ષથી જ દેશમાં ગન્ના ખેડૂતોને ઘણા બધા ગન્ના મૂલ્યની ચુકવણી બાકી હતી. તે સમયે પણ સોફ્ટ લોનની વ્યવસ્થા ખાંડની મિલો માટે કરવા માટે ખેડૂતોને ચુકવણી કરવામાં આવી હતી. 2014માં 8 હજાર કરોડ ખેડૂતોની ચુકવણી કોઇ સરકારે કરી હતી. આઝાદી બાદ દેશમાં પહેલીવાર દેશની અંદર 24 જિંસ માટે એમએસપીની જાહેરાત જેમાં ખેડૂતોને ડોઢથી બે ગણા પૈસા મળવાનાં હતા. આ કેટલીક ઐતિહાસિક પગલા હતા.  જેમાં દેશનાં ખેડૂતોને રાજનીતિ એજન્ડાનો હિસ્સો બનાવવામાં આવ્યો. અમે તે વાતને બોલી શકીએ છીએ કે કેન્દ્ર હોય કે રાજ્ય હું ખેડૂતો માટે જેટલા કાર્ય થયા છે તેઓ કોઇ સરકારે નથી કર્યા.