નવી દિલ્હી: દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ ઝફરૂલ ઇસ્લામે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભડકાઉ પોસ્ટ શેર કરી છે. ઝફરૂલ ઇસ્લામે અરબ રાષ્ટ્રોનો ભારતમાં હિન્દુ કટ્ટરતાની સામે બોલવા માટે આભાર માન્યો છે. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ તેના પર પ્રતિક્રિયા આપી છે. ત્યારે નેશનલ લઘુમતી આયોગ તરફથી કહેવામાં આવ્યું છે કે, વિચિત્ર નિવેદનો છે અને દિલ્હી સરકારે તેના પર તરત જ એક્શન લેવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝફરુલ ઇસ્લામ ખાને પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, "ભારતીય મુસ્લિમોની સાથે ઉભા રહેવા માટે કુવૈતનો આભાર. જે દિવસે મુસ્લિમો અરબ દેશો પાસે પોતાના પર થઈ રહેલા અત્યાચારની ફરિયાદ કરી, સેલાબ આવશે."


ઉશ્કેરણીજનક પોસ્ટ પર ભાજપને નિશાન સાધ્યું
દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરુલ ઇસ્લામની ઉશ્કેરણીજનક પોસ્ટ પર બીજેપીએ નિશાન સાધ્યું છે. ભાજપે શાહનવાઝ હુસેનને કહ્યું છે કે ઝફરુલ ઇસ્લામ દેશની વિરુદ્ધ પોસ્ટ કરે છે. તેમના પર કાર્યવાહી થવી જોઇએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube