શાહજહાંપુર: પૂર્વ કેંદ્વીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણો આરોપ લગાવનાર પીડિત વિદ્યાર્થીનીની એસઆઇટીએ બુધવારે ધરપકડ કરી લીધી છે. એસઆઇટીએ પીડિત વિદ્યાર્થીને ચિન્મયાનંદ પાસે ખંડણી માંગવાના આરોપમાં ધરપકડ કરી છે. એસઆઇટીના અનુસાર પીડિત વિદ્યાર્થીની અને તેના મિત્રો પર ચિન્મયાનંદ પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પીડિત વિદ્યાર્થીનીને મેડિકલ માટે લઇ જવાઇ છે. 


તમને જણાવી દઇએ કે વિદ્યાર્થીનીના 3 મિત્રોને એસઆઇટી પહેલાં જ ધરપકડ કરી ચૂકી છે. સ્વામી ચિન્મયાનંદ પણ યૌન શોષણના મામલે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.