General Knowledge Quiz: એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં સારી નોકરી મેળવવી હોય તો પરીક્ષા પાસ કરવી જ પડે છે. પરીક્ષા કોઈપણ હોય પરંતુ તેમાં જનરલ નોલેજ અને કરંટ અફેર્સ વિશે તો પુછવામાં આવે જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ નોલેજ અને કરંટ અફેર્સ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આ બંને વિષય પરના પ્રશ્નો એસએસસી, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ કામ આવે છે. આજે તમારા માટે એવા જ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે કે જે તમારા જ્ઞાનમાં વધારો કરશે. 


આ પણ વાંચો: સુંદર અને ગ્લોઈંગ સ્કીન માટે મોંઘી ક્રીમ નહીં વાપરવી પડે જો દહીંનો આ રીતે કરશો ઉપયોગ


આ પ્રશ્નો વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. અહીં આપેલા પ્રશ્નોને તમે નોટ કરી પણ રાખી શકો છો. આ પ્રશ્નોની મદદથી તમે મિત્રો સાથે મળીને તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આ પ્રશ્નો પુછીને તમે તમારા મિત્રોના જીકેને પણ ટેસ્ટ કરી શકો છો. 


લોહીનો રંગ લાલ શા માટે હોય છે ?


જવાબ - લોહીનો રંગ લાલ હીમોગ્લોબિનના કારણે હોય છે. 


આ પણ વાંચો: તરબૂચને હાથમાં લઈ કહી દેશો મીઠું છે કે નહીં, ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સ ફોલો કરજો


કયા જીવના લોહીનો રંગ બ્લુ હોય છે ?


જવાબ - ઓક્ટોપસ એક માત્ર જીવ એવો છે જેનું લોહી બ્યુ હોય છે. કારણ કે તેના લોહીમાં આયરન નહીં કોપર હોય છે. 


પૃથ્વીરાજ યૌહાણે કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી ?


જવાબ - પૃથ્વીરાજ ચૌહાણે અજમેર શહેરને પોતાની રાજધાની બનાવ્યું હતું.


આ પણ વાંચો: Lice Home Remedies: જૂ અને લીખથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય


ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રેલ્વે ટ્રેક છે ?


જવાબ - ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ રેલ્વે ટ્રેક છે. 


એવી કઈ વસ્તુ છે જે ખેતરમાં લીલી, બજારમાં કાળી અને ઘરમાં લાલ થઈ જાય છે ?


જવાબ - જવાબ છે ચા પત્તી. ચા ખેતરમાં લીલી હોય. બજારમાં કાળી હોય અને ઘરે લાવી ચા બનાવો ત્યારે લાલ થઈ જાય છે.