નવી દિલ્હી: દેશમાં જીએસટી લાગૂ થયા બાદ જીએસટી સલાહકારોની માંગ વધતી ગઇ છે અને એવામાં જીએસટી (GST) સુવિધા કેંદ્વ ખોલીને તમે લોકોની મદદ કરવાની સાથે જ સારી કમાણી પણ કરી શકો છો. ઇફીજેંટ સીલ પ્રાઇવેટ લિમિટેડ જીએસટી સુવિધા કેંદ્વની ફ્રૈંચાઇઝી આપી રહી છે. જીએસટી સુવિધા કેંદ્વ દ્વારા ગ્રાહકોને 100થી વધુ બેકિંગ, નાણાકીય અને લોન સેવાઓ આપવામાં આવે છે. મુદ્વા લોન જેવી સરકારકારી ઘણી સેવાઓ માટે જીએસટી સુવિધા કેંદ્વ દ્વારા અરજી કરી શકાય છે. જોકે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે જીએસટી સુવિધા કેંદ્વ કોઇ સરકારી યોજના નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ લઇ શકે છે ફ્રેંચાઇઝી
- જીએસટીની પહેલાંથી જાણકારી હોવી જરૂરી નથી.
- અરજી કરનાર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોવો જોઇએ.
- યોગ્ય ઓફિસ સ્પેસ જરૂરી છે.
- ઇન્ટરનેટ, કોમ્યુટર અને પ્રિંટર જરૂરી છે.


જીએસટી સુવિધા કેંદ્વ પર મળનાર સેવાઓ
1. સરકારી સેવાઓ- જીએસટી સુવિધા કેંદ્વ પર ઘણા પ્રકારની સરકારી સેવાઓ મળે છે. જેમ કે વિમા, પેંશન સર્વિસ, ઇ-નાગરિક, ઇ-ડિસ્ટ્રિક્ટ સર્વિસ, ચૂંટણી સર્વિસ, ઇ-કોર્ટ, રિઝલ્ટ અને ડિજિટલ ઇન્ડિયા. 
2 નાણાકીય સેવાઓ- સીએ સર્ટિફિકેશન, ઇનકમ ટેક્સ ઓડિટ, ઉદ્યોગ આધાર, જીએસટી રિટર્ન ફાઇલિંગ, ડીએસસી અને એકાઉન્ટિંગ.
3. ક્રેડિટ કાર્ડ સેવા, મની ટ્રાંસફર, પ્રી-પેડ કાર્ડ સર્વિસ, આધાર મની ટ્રાંસફર.


કેટલું રોકાણ જરૂરી
જિલ્લા કોર્ડિનેટર બનવા માટે 3-5 લાખ રોકાણની જરૂરીયાત છે, જ્યારે જીએસટી સુવિધા કેંદ્વ શરૂ કરવા માટે ટ્રેનિંગ અને ઇંફ્રાસ્ટ્રક્ચર મળીને 1 લાખ રૂપિયામાં કામ શરૂ કરી શકાય છે.