પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં જોડાવવા માટે 51 હજારથી વધુ યુવાઓને જોઈનિંગ લેટર આપ્યો. અત્રે જણાવવાનું કે દેશભરની 45 જગ્યાઓ પર આ મેળાનું આયોજન થઈ રહ્યું છે. પીએમ મોદીએ આ અવસરે હાજર યુવાઓને સંબોધન પણ કર્યું. 


પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આઝાદીના આ અમૃતકાળમાં દેશની આઝાદી અને દેશના કોટિ કોટિ જનોના અમૃતરક્ષક બનવા પર તમને બધાને ખુબ ખુબ શુભેચ્છાઓ. હું તમામ સફળ ઉમેદવારો અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવું છે. આજે જે યુવાઓે નિયુક્તિ પત્ર મળયા છે તેઓ દેશની સેવાની સાથે સાથે નાગરિકોની રક્ષા પણ કરશે. આથી એક પ્રકારે તમે અમૃતકાળના જન અને અમૃતરક્ષક પણ છો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube