Chanakya Niti : છોકરાઓ જ નહીં પરંતુ છોકરીઓ પણ પોતાના લાઈફ પાર્ટનરમાં એવા ગુણો શોધે છે જે તેમને જીવનભર સાથ આપે. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં છોકરાઓના આવા જ કેટલાક ગુણોનો ઉલ્લખ કરાયો છે જેને આજે પણ છોકરીઓ પોતાના ભાવિ પતિમાં શોધતી હોય છે. આચાર્ય ચાણક્ય દેશના સૌથી મહાન કૂટનીતિક વિશેષજ્ઞ માનવામાં આે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિ શાસ્ત્રમાં વ્યક્તિની દરેક સમસ્યાનું નિવારણ છૂપાયેલું છે. પછી ભલે તે પ્રેમ હોય, મિત્રતા, નોકરી, લગ્ન...કોઈ પણ સમસ્યાનું નિવારણ તમને નીતિ શાસ્ત્રમાં મલશે. હવે વિસ્તારપૂર્વક જાણીએ કે છોકરીઓ છોકરાના એવા તે કયા ગુણોથી આકર્ષિત થાય છે....


તેજ દિમાગવાળા છોકરા
આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે છોકરીઓને બુદ્ધિશાળી છોકરા ગમે છે. એવા છોકરા કે જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના દિલ અને દિમાગથી નિર્ણય લે છે. આ જ કારણ છે કે છોકરાઓના આ ગુણથી છોકરીઓ જલદી પ્રભાવિત થાય છે. 


કેરિંગ છોકરાઓ
ચાણક્ય નીતિ શાસ્ત્ર મુજબ છોકરીઓ એવા છોકરાને પસંદ કરે છે જે તેમનો ખ્યાલ રાખે. આવા છોકરા પોતાના પાર્ટનરની સાથે મિત્રો, સગા સંબંધીઓનું પણ ધ્યાન રાખે છે. છોકરાઓનો આ ગુણ તેમના માતા પિતાના મન ક્યારેય દુભાવવા દેતો નથી. તે પોતાના માતા પિતાની પસંદનું પણ એટલું જ ધ્યાન રાખે છે. આ સાથે જ તેમની સાથે સારો સમય વિતાવવાનું પણ પસંદ કરે છે.


ઘર પરિવાર અને માતા પિતાનું આટલું ધ્યાન રાખે


છોકરાઓનો ખ્યાલ રાખવાનો આ ગુણ છોકરીઓને ખુબ પ્રભાવિત કરે છે. કારણ કે છોકરી એવું વિચારે છે કે જે ઘર પરિવાર અને માતા પિતાનું આટલું ધ્યાન રાખે તે પત્નીનું પણ એટલું જ ધ્યાન રાખશે. 


મહેનતુ છોકરાઓ
નીતિ શાસ્ત્ર મુજબ છોકરીઓ નફ્ફટ, ઘમંડી અને એલફેલ બોલતા છોકરાઓને પસંદ કરતી નથી પરંતુ મહેનતુ છોકરાઓને પસંદ કરે છે. આવા છોકરાઓ પોતાના જીવનમાં જલદી સફળતા મેળવી શકે છે. આ જ કારણ છે કે છોકરીઓ આવા છોકરાને પોતાના લાઈફ પાર્ટનર બનાવવાનું પસંદ કરે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube