સફળ બનવા માટેનું પહેલું સૂત્ર છે કામ પ્રત્યે વફાદારી. જે લોકો આકરી મહેનત કરે છે તેમના પર માતા લક્ષ્મી મહેરબાન થાય છે. ચાણક્ય નીતિ કહે છે કે સંકટ સમયે મોટાભાગે લોકો ભટકી જાય છે અને ખોટા રસ્તે જતા રહે છે. જ્યારે મુશ્કેલ સમયમાં પણ જે ઈમાનદારીથી પોતાનું કામ કરે છે તેમની મહેનત વ્યર્થ જતી નથી. આવા લોકો કંગાળ હોય તો પણ ધનવાન બનતા વાર લાગતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો
વ્યક્તિએ હંમેશા પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેવું જોઈએ. તેનાથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. આ સાથે જ કાર્યોમાં પણ સફળતા જલદી મળે છે. 


ખરાબ સમયમાં ધૈર્ય ન ગુમાવો
વ્યક્તિના કર્મ જ તેના ખરાબ અને સારા સમયનું કારણ બને છે. સારા સમયમાં ક્યારેય પદ, પૈસાનું ઘમંડ ન કરો. જ્યારે ખરાબ સમયમાં ધૈર્ય ન ગુમાવો. આમ કરનારા વ્યક્તિને ક્યારેય દુ:ખનો અહેસાસ થતો નથી. તેનું જીવન ખુશી ખુશી પસાર થાય છે. 


વાણી પર કંટ્રોલ રાખો
વાણી અને વ્યવહાર આ બંને ચીજો વ્યક્તિની સફળતા અને નિષ્ફળતામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આથી વ્યક્તિએ હંમેશા પોતાની વાણી પર ધ્યાન આપવું જોઈએ. ક્યારે શું બોલવાનું છે, ક્યા બોલવાનું છે. પોતાના વ્યવહારથી વ્યક્તિ લોકો સાથે સારા સંબંધ રાખી શકે છે તો નાની અમથી ભૂલના કારણે બનલા સંબંધો પણ બગડી શકતા હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube