Chandra Grahan Effect 2024: હિંદુ માન્યતાઓ અનુસાર ચંદ્ર ગ્રહણના દિવસે નકારાત્મક શક્તિઓ પેદા થાય છે. તેનો પ્રભાવ વ્યક્તિના જીવન અને દિનચર્યા પર જોવા મળી શકે છે. એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ દરમિયાન ઘણા ઉપાય અને સાવધાનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહણ દરમિયાન દરેક વ્યક્તિને વિશેષ સાવધાની રાખવી જોઇએ. પરંતુ ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!
IPL 2024 માં બેટ્સમેનો માટે કાળ સાબિત થઇ શકે છે 3 સ્પિનર, કાતિલ બોલીંગમાં છે માહિર


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ હાવી બની જાય છે. એવામાં લોકોને આ સમયગાળા દરમિયાન પૂજા ન કરવાની અથવા ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો આપણે સગર્ભા સ્ત્રીઓ અને તેમના બાળકો વિશે વાત કરીએ, તો તેઓએ ખાસ કાળજી લેવી જોઈએ. આ સમય દરમિયાન ગ્રહણની અસર તેમના સ્વાસ્થ્ય અને ગર્ભસ્થ બાળક પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. જાણો ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


Surya Gochar: સૂર્યદેવને કૃપાથી આ 4 રાશિઓનું ચમકશે નસીબ, ખાતામાં આવશે દે ધના ધન રૂપિયા
IMD Alert: હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત: ક્યાંક વરસાદ તો ક્યાં હિમવર્ષાની આગાહી


ચંદ્ર ગ્રહણની અવધિ 2024
જ્યોતિષ શાસ્રના અનુસાર આ વર્ષે 2024નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 25 માર્ચ ફાગણ પૂર્ણિમાના દિવસે છે. તમને જણાવી દઇએ કે હોળીના તહેવાર પણ ઉજવવામાં આવી રહ્યો છે. ગ્રહણનો પ્રભાવ દેશ અને દુનિયા તમામ પર જોવા મળી શકે છે. તમને જણાવી દઇએ કે આ વખતે ચંદ્ર ગ્રહણ 25 માર્ચ સવરે 10:24 થી લઇને બપોરે 3:01 સુધી રહેવાનો છે. એવામં તમને ચંદ્ર ગ્રહણ દરમિયાન કુલ 4 કલાક અને 36 મિનિટ સુધી સતર્ક રહેવું પડશે. 


બસ 10 દિવસ બાકી... તમને ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો
ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત


ગર્ભવતી મહિલાઓએ આ નિયમનું પાલન કરવું જોઈએ
- કોઈપણ ગર્ભવતી મહિલાએ ચંદ્રગ્રહણ જોવાનું ટાળવું જોઈએ અને તે દરમિયાન ઘરની બહાર નીકળવું જોઈએ નહીં.


- ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ઘરની અંદર એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં ગ્રહણના કિરણો કે પ્રકાશ ન પડતા હોય.


- જો તમે ગર્ભવતી હો અને ચંદ્રગ્રહણના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. વ્યક્તિએ પૂજામાં ધ્યાન આપવું જોઈએ પરંતુ મંદિરમાં ન જવું જોઈએ.


Holashtak 2024: હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે
Mangal Gochar 2024: આજથી કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિની એન્ટ્રી, આ 5 રાશિઓનો બેડો થઇ જશે પાર


- ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનમ, આદિત્ય હૃદય સ્તોત્ર, વિષ્ણુ હસ્તાક્ષર મંત્ર અને પંચાક્ષરી મંત્રનો જાપ કરવો જોઈએ.


- જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય ત્યારે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પોતાની સાથે નારિયેળ રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે નાળિયેર રાખવાથી તમામ પ્રકારના હાનિકારક રેડિયેશન સામે રક્ષણ મળે છે. આ પછી તેને પવિત્ર નદીમાં ડૂબાડી દેવું જોઈએ.


Toyota માટે વરદાન બની SUV, વેચાણ મામલે ધૂમ મચાવી, માઇલેજ 28kmpl
સોના-ચાંદીમાં મોટો ફેરફાર, 9 દિવસમાં 2500 મોંઘી થઇ ચાંદી, જાણો તમારા શહેરનો ભાવ


- સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ઉઠતી અને બેસતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. એટલું જ નહીં, ગ્રહણ દરમિયાન ખાવાનું પણ ટાળવું જોઈએ.


- સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સોય, છરી, કાતર જેવી ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. શાસ્ત્રો અનુસાર તેનો ઉપયોગ કરવાથી ગર્ભમાં રહેલા બાળક પર આડઅસર થઈ શકે છે.


Power Food: માર્કેટમાં આવી ગયા છે ચીકૂ, Weight Loss થી માંડીને BP રહેશે કંટ્રોલમાં
Tips & Tricks:શું તમારા ઘરમાં પણ છે મચ્છરોની ફોજ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ


નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે, Zee 24 kalak તેની પુષ્ટિ કરતું નથી.