Dos and Donts After Eating: મોટા ભાગના માણસોની આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આવું કરવાથી તમે બીમારીનો ભોગ બની શકો છો. જો તમારી પણ આવી જ આદત હોય તો તમે તમારી આદત ને સુધારી શકો છો નહીં તમે બીમારીનો ભોગ બની શકો છો. રાત્રે જ નહીં જો તમે દિવસે પણ જમી ને સુઈ જતા હોય તો એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે આદતને બદલી પણ શકો છો અને જો તમને પણ આવી આદત હોય તો જાણીએ તે આદતોથી થતી પરેશાનીઓ વિશે. જમ્યા બાદ ઊંઘવાની આદત હોય તો તમને તેનાથી એસિડિટી અને બળતરા થઈ શકે છે. જમ્યા પછી સૂવાની આદત ના લીધે ડાયજેશન પ્રોસેસને ધીમી કરી નાખે છે. 


જમ્યા પછી શરીર ખોરાકની પાચન કરવાનું કામ ચાલુ કરી નાખે છે અને તેની સાથે જ ખોરાક પચાવવા માટે આંત એસિડ બનાવે છે. જો ટાઈમે તમે સુઈ જાવ છો તો એસિડ પેટ થી નીકળીને ફૂડ પાઇપ અને ફેફસામાં આવી જાય છે અને તેનાથી બળતરા થવાનું ચાલુ થઈ જાય છે.


જો તમે સુઈ જાવ છો તો ખોરાક પણ સારી રીતે પચી નથી શકતો. કારણ કે તે અનુસાર શરીરના ઘણાં અંગો સ્થિર થઈ જાય છે અને તેની સાથે કામને પણ રોકી નાખે છે અને તેવામાં પાચનની ક્રિયા ધીમી પડી જાય છે અને ઘણી પરેશાનીઓ પણ આવે છે.


આપને જણાવી દઇએ કે ખોરાક લીધા પછી શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે.જો તમે જમીને સુઈ જાવ છો તો સુગર શરીરમાં ઉપયોગ નથી થતું અને તેથી વધારાનું સુગર બ્લડમાં મિક્સ થઈ જાય છે અને તેનાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.


ખાવાનું ખાઈ લીધા બાદ કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તો જાણો જમ્યા બાદ તરત જ શું ન કરવું જેથી તમારી હેલ્થ સારી રહે.


આ પણ વાંચોઃ દેવું કરીને ઘી પીવો પણ શું તમે જાણો છો કેટલું પીવું જોઈએ, આ રહ્યાં ફાયદા-ગેરફાયદા


તરત જ સૂવું નહીં
અનેક લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આ તેમના માટે ખતરનાક સાબિત થાય છે. ઊંઘ પાચનક્રિયામાં બાધા ઉત્પન્ન કરે છે. જમ્યા બાદ સૂવાથી પેટ ફૂલવું, પીડા, શરીરના દર્દની સંભાવના રહે છે. 


ના કરો વ્યાયામ
જમ્યા બાદ તરત જ કસરત કરવી નહીં. ખાવાનું ખાધા બાદ જિમ કે વર્કઆઉટ કરવાથી તમને બેચેની અને અને સુવિધાનો અનુભવ થાય છે. 


ન પીઓ સિગરેટ
જો તમે ભોજન કર્યા બાદ તરત જ સિગરેટ પીઓ છો તો તે હેલ્થ માટે હાનિકારક હોય છે. નિકોટીન ઓક્સીજનની સાથે પ્રતિક્રિયા કરીને અનેક સમસ્યાઓ જન્માવે છે. તેનાથી આંતરડાના કેન્સરની સંભાવનાઓ વધે છે. 


ફળ ખાવાનું ટાળો
જો તમે જમ્યા બાદ તરત જ પોષક તત્વોથી ભરપૂર ફળ ખાવાનું પસંદ કરો છો તો તે તમને  નુકસાન કરી શકે છે. તેનાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે. ખાલી પેટે કે ભોજન કર્યા બાદ થોડા સમય બાદ ફ્રૂટ ખાવું ફાયદારૂપ રહે છે.