How to Get Rid of Lizards from Home: ગરોળીનું નામ સાંભળતા જ વ્યક્તિ ડરી જાય છે અને અણગમો થાય છે, પરંતુ તે આપણા ઘરમાં એક અનિચ્છનીય સાથી છે. આ જીવ સામાન્ય રીતે ઘરના ખૂણામાં જોવા મળે છે, પરંતુ રસોડું તેની પ્રિય જગ્યાઓમાંથી એક છે. ગરોળી સામાન્ય રીતે જંતુઓની શોધમાં આપણા ઘરમાં પ્રવેશ કરે છે, તેમજ તેઓ બચેલા ખોરાક પર હુમલો કરે છે. તેને મારી નાખવી એ યોગ્ય રસ્તો નથી, આવા કેટલાક ઉપાયો કરવામાં આવે જેથી આ જીવ આપણા ઘરની આસપાસ પણ ભટકે નહી ય, ચાલો આવી જ કેટલીક ટીપ્સ તમારી સાથે શેર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હાથમાં આવે છે વાળના ગુચ્છા ? તો વાળ ધોતા પહેલા લગાડો આ સફેદ વસ્તુ, ખરતા વાળ અટકશે


ઇંડાના છિલકાનો ઉપયોગ કરો
ગરોળીને ઈંડાના છીલકાની ગંધ ગમતી નથી, તેથી તેને ઘરના તે ખૂણામાં રાખો જ્યાં ગરોળીની અવર-જવર હોય, દર અઠવાડિયે આ છીલકા બદલતા રહો.


પેપર સ્પ્રે
જો તમે કાળા મરીનો સ્પ્રે ઘરના ખૂણે-ખૂણે છાંટશો તો તમારા ઘરની આસપાસ ગરોળી દેખાશે નહીં કારણ કે તેનાથી આ જીવની ત્વચામાં બળતરા થાય છે. જો તમે ઈચ્છો તો કાળા મરી પાવડર અને પાણીને મિક્સ કરીને ઘરે જ સ્પ્રે બનાવી શકો છો.


આ પણ વાંચો: Increase Height: ઉંમર પ્રમાણે બાળકની હાઈટ વધતી ન હોય તો રોજ કરાવો આ 5 યોગાસન


સિંક કેબિનેટ સાફ કરો
ગરોળી ઘણીવાર સિંકની નીચે કેબિનેટમાં પોતાનું છુપાવવાનું સ્થળ બનાવે છે, કારણ કે અહીં ગંદકી એકઠી થાય છે, તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે દર સપ્તાહના અંતે આ સ્થાનને સાફ કરો, નહીં તો તમે ગરોળીને આવતા અટકાવી શકશો નહીં.


આ પણ વાંચો: સવારે 1 ગ્લાસ પાણી સાથે ખાઈ લો આ દેશી મસાલો, ફુગ્ગાની જેમ ફુલેલું પેટ ઝડપથી જશે અંદર


નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો
નેપ્થાલિન બોલ્સને ગરોળીનો દુશ્મન માનવામાં આવે છે, કારણ કે આ જીવો આ બોલની નજીક આવવા માંગતા નથી, સાથે જ તે ઘણા જંતુઓ અને કરોળિયાને આવતા અટકાવે છે. જો કે, આ ગોળીઓને બાળકો અને પાલતુ પ્રાણીઓથી દૂર રાખો, એવું ન થાય કે તેઓ આકસ્મિક રીતે તેને ગળી જાય.


આ પણ વાંચો:  1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો


ડુંગળી અને લસણને ખૂણામાં રાખો
ડુંગળી અને લસણની ગંધ ગરોળીને બળતરા કરે છે, તેથી જો તમે તેને રસોડા અને બાથરૂમના ખૂણાઓ અને બારીઓ પર રાખો છો, તો આ પ્રાણી ત્યાં આવશે નહીં. સમયાંતરે, જૂની ડુંગળી-લસણની જગ્યાને નવી રિપ્લેસ કરો. 



(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)