નવી દિલ્હીઃ Vajan ghatane ke upay: વજન ઘટાડવા માટે આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક નાના-નાના ફેરફાર કરવા પડશે. ચરબી ઘટાડવા માટે આપણે સવારે સૌથી પહેલા શું કરીએ છીએ તે ઘણું મહત્વનું છે. પેટની ચરબી ઘટાડવાની રીતો હોય કે વજન ઘટાડવાની અસરકારક રીત હોય, બધું ત્યારે જ કામ કરે છે જ્યારે આપણે આપણી જીવનશૈલીને વજન ઘટાડવા માટે અનુકૂળ બનાવીએ. વજન ઘટાડવા માટે માત્ર આહાર પૂરતો નથી, પરંતુ સવારની કેટલીક ક્રિયાઓ પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. જીરું એક સામાન્ય ઘરગથ્થુ મસાલો છે જે વજન ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે જીરુંનો ઉપયોગ કેવી રીતે કરવો તે એક યુક્તિ છે. જીરાનો સ્વાદ થોડો કડવો હોય છે. વજન ઘટાડવા માટે જીરુંનું સેવન કરવાની આ રીતો છે જે તમારા શરીરને નવજીવન આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવા માટે કઈ રીતે કરશો જીરાનો ઉપયોગ? | How to use cumin to lose weight?


જીરાને ધીમા ગેસે ભૂરુ અને ખુશબૂદાર થવા સુધી શેકી લો. જ્યારે તે ઠંડુ થઈ જાય તો તેને પીસીને પાઉડર બનાવી લો અને એક એરટાઇટ જારમાં ભરીને રાખી લો. 


જીરુ પાચન પ્રક્રિયામાં સહાયતા કરે છે. કોઈપણ ગેસ્ટ્રિક સમસ્યાના મામલામાં પેદ દુખાવાથી રાહત મેળવવા માટે જીરૂ ચાવી શકાય છે. જીરુ ગરમ પાણીમાં મિક્સ કરી શકાય છે. જીરૂ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. વજન ઘટાડવા માટે જીરાનું પાણી તે લોકો માટે ખુબ ઉપયોગી છે, જે એક્સ્ટ્રા વેટ ઓછો કરવા ઈચ્છે છે.


આ પણ વાંચોઃ Weight Loss: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ


વજન ઘટાડવા માટે જીરાનો ઉપયોગ | Cumin water for weight loss
જીરાને પાણીમાં પલાળવા પર તે ફુલાય જાય છે. જીરામાં રહેલા પોષક તત્વો પાણીમાં મિક્સ થઈ જાય છે અને હળવા પીળા રંગમાં જોવા મળે છે. વજન ઘટાડવા માટે સાદા પાણીની જગ્યાએ જીરાના પાણીનું સેવન કરવું સારૂ છે. 


જીરામાં રહેલ થાઇમોલ નામનું યૌગિક એંજાઇમોને ઉત્તેજિત કરે છે, જે પાચન રસના સારા સ્ત્રાવને વધારે છે. તેનાથી પાચન સારૂ થાય છે અને પેટ ફુલવાથી બચી શકાય છે. તેથી વજન ઘટાડવા માટે જીરાનું પાણી પ્રભાવિ છે. 


1. કેટલાક અભ્યાસો અનુસાર જીરાના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પીવાથી મેટાબોલિઝ્મ વધારવામાં મદદ મળે છે, જે બદલામાં વજન ઘટાડવામાં સહાયતા કરે છે. 


2. એક ચમચી જીરૂ રાત્રે પલાળી દો. સવારે પલાળેલા જીરાને પાણીમાં ઉકાળી લો. પીતા પહેલા તેમાં લીંબુનો રસ નીચવી દો. વજન ઘટાડવા માટે જીરાનું પાણી ત્યારે અસરકારક બનશે જ્યારે સવારે ખાલી પેટ તેને પીવામાં આવે. 


આ પણ વાંચોઃ સફેદ મીઠાની જગ્યાએ આ મીઠાનું કરો સેવન, દૂર થઈ જશે પેટની તમામ સમસ્યા


3. વજન ઘટાડવા માટે કોઈપણ રૂટીનમાં તમારે હાઇડ્રેટેડ રહેવું જોઈએ. શરીરમાંથી તમામ હાનિકારક ટોક્સિન્સને બહાર કાઢવા અને હેલ્ધી વેટ બનાવી રાખવા માટે પાણી જરૂરી છે. 


(ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતી અને ઘરેલૂ નુસ્ખાના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે ચિકિત્સીય સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube