Suhagrat: દરેક ધર્મમાં લગ્નની અલગ અલગ રસ્મો હોય છે. દરેક રસ્મોને વ્યક્તિ પોતાની રાતે ખુબ સારી રીતે પૂરી કરવા માંગે છે. આ રસ્તો પાછળ કઈક ને કઈક કહાની પણ છૂપાયેલી હોય છે. આ જ રીતે આજે અમે તમને સુહાગરાત પાછળની કહાની જણાવીશું. આખરે લગ્નની પહેલી રાત સુહાગરાત કેમ કહેવાય છે? શું છે તેની પાછળની કહાની....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના સુહાગ સાથે હોય છે યુવતી
યુવતીઓની લગ્ન બાદની પહેલી રાત તેમના સુહાગ એટલે કે પતિ સાથે હોય છે. આથી તેને સુહાગરાત નામ આપવામાં આવ્યું છે. આ રાતે એક બીજાને સારી રીતે સમજવા માટે હોય છે. આ રાતને દરેક જણ સારી બનાવવા માંગે છે. બધા ઈચ્છે છે કે તેઓ તેમના પાર્ટનર સાથે સારી રીતે હળીમળી જાય અને બંને એક બીજાને સારી રીતે જાણે. હવે જ્યારે કોઈ નવું કપલ એકબીજાની નજીક આવે છે ત્યારે પરસ્પર વાત કરવામાં ખુબ સંકોચ કરે છે. જેના કારણે ક્યારેક તો એકબીજાને સારી રીતે સમજી પણ શકતા નથી.


ન કરતા આવી ભૂલો
સુહાગરાતે ભૂલેચૂકે કેટલાક કામ ન કરવા જોઈએ. રાતે યુવતી કે યુવક બંનેમાંથી કોઈએ પણ એકબીજાને તેમના ભૂતકાળ વિશે જરાય પૂછવું જોઈએ નહીં કે પછી ન તો ભૂતકાળ શેર કરવો જોઈએ. પોતાના ફેમિલી અંગે પણ વાત કરવી જોઈએ નહીં. ખાસ કરીને પોતાના પરિવાર કે કોઈ સભ્યોનું ખરાબ બોલવું જોઈએ નહીં. તેની પાર્ટનર પર ખોટી અસર પડશે. આ રાતે તમારે પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવામાં જરાય ઉતાવળ કરવી જોઈએ નહીં. તેનાથી તમારા પાર્ટનર પર તમારી ઈમ્પ્રેશન ખરાબ પડી શકે છે. જેના કારણે તે તમારા પર નારાજ પણ થઈ શકે છે. એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી પહેલી રાતે જ સંબધમાં ખટાશ આવી જાય.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube