Banana Benefits and Disadvantages: કેળા ખાવાથી મસલ્સ બને છે અને ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. આ મધુર ફળ 80 રોગોથી બચાવી શકે છે, પરંતુ કેટલાક લોકોએ તેને ખાતાં પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઈએ. કેળા એક ખૂબ જ ફાયદાકારક અને શક્તિશાળી ફળ છે. આ ખાવાથી શરીરમાં જીવ આવે છે. પરંતુ કોઈપણ ખોરાક દરેક માટે સારો નથી. આયુર્વેદમાં કેળાને કેટલાક લોકો માટે ખતરનાક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે કેળા ખાવાના શું ફાયદા છે અને કયા લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેળા ખાવાથી શું મળે છે? મેડિકલ ન્યુટ્રિશનિસ્ટ વિપિન રાણાએ જણાવ્યું હતું કે વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને વિટામિન બી6ની સાથે કેળામાં એન્ટિઓક્સિડન્ટ્સ ગ્લુટાથિઓન, ફિનોલિક્સ, ડેલ્ફિડિનિન, રુટિન અને નારિંગિન હોય છે.


કેળા કોણે ખાવું જોઈએ અને કોણે ના ખાવું જોઈએ?
ન્યુટ્રિશનિસ્ટના મતે, કેળા વાત પિત્ત દોષને સંતુલિત કરે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે વાત બગડવાથી લગભગ 80 પ્રકારના રોગો થાય છે. જેમાં ડ્રાયનેસ, પ્રિકલિંગ સેન્સેશન, હાડકામાં ગેપ, કબજિયાત, કડવો સ્વાદ વગેરે જેવી ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે.


કેળા ખાવાના ફાયદા-
આયુર્વેદ અનુસાર કેળા સ્વભાવે ઠંડા અને પચવામાં ભારે છે અને તે લુબ્રિકેશનનું કામ કરે છે. આ ખોરાક એવા લોકોએ ખાવો જોઈએ જેમનું શરીર ડ્રાય હોય, હંમેશા થાકેલું હોય, સારી ઊંઘ ન આવતી હોય, શરીરમાં હંમેશા બળતરા થતી હોય, ખૂબ તરસ લાગે અને ખૂબ ગુસ્સો આવે. એમના માટે કેળા એ ગુણકારી છે.


કોણે કેળા ન ખાવા જોઈએ?
કેળા કફ દોષમાં વધારો કરે છે, આથી જેમને વધુ કફ હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ. જો કફ વધવાથી પાચન અગ્નિ નબળી પડી જાય તો આ ફળ તેને વધુ ધીમું કરી દેશે. વધુ પડતી ચરબી, ખાંસી અને શરદી, અસ્થમાના દર્દીઓએ તે ન ખાવું જોઈએ અથવા ખૂબ સમજી વિચારીને તેનું સેવન કરવું જોઈએ.


(Disclaimer : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)