Mosquitoes: સામાન્ય રીતે ચોમાસામાં વરસાદી મોસનને કારણે ઠેર ઠેર પાણી એકઠું થતું હોય છે. આ પાણીમાં મચ્છરો ઉદ્ભવતા હોય છે. એ જ કારણ છેકે, વરસાદમાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે. શું તમે પણ મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છો? ઘર કે ઓફિસમાં વધી ગયો છે મચ્છરોનો ત્રાસ? વરસાદી વાતાવરણમાં ઘરમાં પણ ઘુસી જાય છે મચ્છર સહિતના જીવજંતુ? મચ્છરોને ભગાડવા માટે અપનાવો આ 5 સૌથી સુપર ઉપાય...એ પણ માત્ર સાવ 5 રૂપિયાના ખર્ચમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાની શરુઆત થાય એટલે લોકોને ગરમીથી તો રાહત મળી જાય છે પરંતુ એક સમસ્યા છે જે એટલી વધી જાય છે કે નાકે દમ થઈ જાય. આ સમસ્યા છે મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ. વરસાદના ચાર છાંટા પડે એટલે દરેક જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. વરસાદી વાતાવરણમાં મેલેરિયા અને ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર પણ વધી જાય છે. આવી સ્થિતિમાં મચ્છરને ઘરથી દુર રાખવા જરૂરી થઈ જાય છે. કારણ કે આમ ન કરવાથી પરિવારમાં બીમારી ફેલાવાનું જોખમ વધી જાય છે. 


વરસાદી વાતાવરણમાં સાંજ પડે એટલે ઘરમાં મચ્છર સહિતના જીવજંતુ ઘુસી જાય છે. આવી સ્થિતિમાં જો તમે સાંજે આ 4 માંથી કોઈ એક ઉપાય પણ કરી લેશો તો મચ્છર અને જીવજંતુ તમારી આસપાસ પણ નહીં ફરકે. આ ઉપાય કરવામાં ખર્ચ માત્ર 5 રૂપિયાનો થશે.


હાલ ચોમાસું બરાબર જામ્યું છે. તેવામાં તમારા ઘરે પણ વરસાદી જીવજંતુઓ અને મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો હશે. તેવામાં આજે તમને મચ્છરોથી તુરંત અને કાયમી છુટકારો અપાવે તેવા અસરકારક ઉપાયો જણાવીએ. આ ટ્રીક્સ ટ્રાય કરશો તો તમને મચ્છરોથી તુરંત રાહત મળી જશો. 


કપૂર-
મચ્છરોથી બચવા માટે સાંજના સમયે ઘરમાં કપૂર સળગાવો. કપૂર સળગાવી રૂમના બારી અને દરવાજા અડધા કલાક માટે બંધ કરી દેવા. 


ગાયના છાણનો ધૂણો-
ઘર કે ઓફિસમાં વધી ગયા છે મચ્છરો. તો ગાયના ગોબર એટલેકે, છાણા પર ઘી લગાવીને તેનો ધૂણો કરવાથી મચ્છર ચપટીમાં ભાગી જશે. સાથે જ ગાયનું ગોબર ખુબ પવિત્ર હોવાની તેનાથી તમારા ઘર કે ઓફિસમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે અને પોઝિટિવ એનર્જી આવશે.


લસણ-
રસોઈમાં રોજ ઉપયોગમાં આવતાં લસણની મદદથી આ કામ સરળતાથી થઈ શકે છે. લસણમાં એવા ગુણ હોય છે જે મચ્છરોનો સફાયો કરી શકે છે. લસણમાં રહેલું સલ્ફર મચ્છરને મારી નાખે છે. તેને વધારે અસરકારક બનાવવા માટે લસણને લવિંગ સાથે ક્રશ કરી અને તેને પાણીમાં ઉકાળો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને સાંજના સમયે આખા ઘરમાં છાંટો. પછી એક પણ મચ્છર ઘરમાં ફરકશે નહીં.


નીલગીરી-
મચ્છરોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે નીલગીરીનું તેલ અથવા તેના પત્તાનો ધૂણો પણ અસરકારક છે. તેના માટે એક ચમચી નીલગીરીનું તેલ લઈ તેમાં સમાન માત્રામાં લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને હાથ, પગ અને શરીરના ખુલ્લા રહેતા ભાગ પર લગાવો. આ મિશ્રણના કારણે મચ્છર તમને કરડશે નહીં.


લીમડો -
લીમડાનું તેલ અથવા તેના પત્તાનો ધૂણો પણ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે લીમડાનું અને નારિયેળ તેલ સમાન માત્રામાં મિક્સ કરી તેને તમારા શરીર પર સારી રીતે લગાવી સૂઈ જાઓ. તેને લગાવ્યા પછી લગભગ 8 કલાક સુધી મચ્છર તમારી આસપાસ ફરકશે નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)