નવી દિલ્લીઃ જ્યારે પણ સુંદરતાની વાત આવે છે, ત્યારે લોકો ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો આશરો લે છે, કેટલાક લોકો ઘરેલું ઉપાય વિશે વાત કરે છે. આ વસ્તુઓથી તમે ફક્ત તમારી બાહ્ય ત્વચાને જ સુંદર બનાવી શકો છો, પરંતુ જો તમે ખરેખર પોતાને કુદરતી રીતે સુંદર દેખાવા માંગતા હોવ તો તમારે તમારી કેટલીક આદતોમાં સુધારો કરવો પડશે.


ત્વચા અને સ્વાસ્થ્ય એક્સપર્ટના કહેવા મુજબ કેટલીક વખત તમારી ખરાબ ટેવ તમારી સુંદરતા બગાડવા માટે પણ જવાબદાર હોય છે. તેથી જ આ સમાચારમાં અમે તમને તે આદતો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી સુંદરતાને બગાડે છે અને તમારા ચહેરાની ચમક ઘટાડે છે.
 
તમારી આ આદતો તમને પડશે ભારે-
 
1-ઓછું પાણી પીવું
ઓછું પાણી પીવાની ટેવ તમારી સુંદરતાનો દુશ્મન છે. આ સાથે તે અનેક રોગોનું કારણ પણ બને છે. પુષ્કળ પાણી પીવાથી તમારા શરીરમાંથી ઝેર નીકળી જાય છે અને ત્વચા હાઇડ્રેટેડ રહે છે. તમારા ચહેરા પર કુદરતી ચમક આવે છે.
 
2-યોગ અને કસરત ન કરવી
યોગ અને કસરત ન કરવાથી તમારા આખા શરીરના સ્વાસ્થ્યને અસર થાય છે. આને કારણે ત્વચાની ગ્લો પણ અદૃશ્ય થઈ જાય છે. દરરોજ યોગ અને કસરત કરવાથી તમે ફીટ થઈ જાઓ છો, સાથે જ તમારી ત્વચામાંથી ઝેરી તત્વો પરસેવો દ્વારા બહાર આવે છે. જેના કારણે તમારી ત્વચા ગ્લોઇંગ થઈ જાય છે.
 
3- વધુ તળેલું અને મસાલેદાર ખોરાક
વધુ તળેલું, અને મસાલેદાર ખોરાક લેવાની ટેવ તમારા ચહેરાની ગ્લો ઘટાડે છે. આ સાથે જંક ફુડ, ફાસ્ટ ફૂડ અને ચા અને કોફી પીવાથી તમારા ચહેરાની ચમક દૂર થાય છે. તમે મસાલેદાર ખોરાકની જગ્યાએ સલાડ, ફળો, ફણગાવેલા અનાજ, લીલા શાકભાજી, લેવાનું શરૂ કરો.
 
4- ખાંડનો વધુ વપરાશ
વધુ ખાંડ ખાવાથી ચહેરા પર ઝડપથી કરચલીઓ આવે છે અને તમે જલ્દીથી વૃદ્ધ થશો. ખાંડના વપરાશને કારણે તમારા ચહેરાના છિદ્રો ખુલે છે અને તેમાં ગંદકી એકઠી થવા લાગે છે. આને કારણે, ખીલ વગેરે જેવી અન્ય સમસ્યાઓની સાથે ચહેરાની ગ્લો પણ જતો રહે છે.
 
5- તણાવ
આજકાલ તણાવની સમસ્યા ખૂબ સામાન્ય છે. જો તમે વધારે તણાવ લેશો તો તેનાથી તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તણાવથી બચવા માટે યોગ અને ધ્યાન કરો.
 
6- પૂરતી ઉંઘ ન લેવી
જો તમે પૂરતી ઉંઘ ન લેતા હોય તો પણ તમારી ત્વચા પર ખરાબ અસર પડે છે. તમારો ચહેરો ખુબ જ નીરસ લાગે છે. થાક દેખાય છે, આંખ નીચે ડાર્ક સર્કલ દેખાવવાના શરૂ થાય અને ચહેરાની ગ્લો ખોવાઈ જાય છે. તેથી સંપૂર્ણ 8 કલાકની ઉંઘ લો.
 
 (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકરી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)