નવી દિલ્લીઃ શેમ્પેનનું નામ જ્યારે પણ લેવાય એટલે તેને ઉજવણી સાથે જોડવામાં આવે છે, પછી તે ટીમ ઈન્ડિયાની જીત હોય કે પછી કોઈ ફિલ્મની બોક્સ ઓફિસ પરની રેકોર્ડ સફળતા, શેમ્પેન ખોલીને તેને એકબીજા પર ઉડાવાની ઘટના સામાન્ય છે. પરંતુ આજના સમયમાં તેનો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે લોકો સેલિબ્રેશનમાં શેમ્પેન ઉદાડવાને સામાન્ય સમજવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આ શું છે? શું આ વાઇન છે? અને જો એમ હોય તો, તેમાં ઓલ્કોહોલ લેવલ કેટલો હોય છે? તો ચાલો જાણીએ શેમ્પેન પાછળની સંપૂર્ણ વાર્તા. શેમ્પેન શું છે? ઘરની પાર્ટી દરમિયાન ઘરના વડીલોના મનમાં સામાન્ય રીતે પ્રશ્ન ઉદ્ભવે છે કે 'આ શેમ્પેનની બોટલમાં શું ભર્યું છે?' ઉદાહરણ તરીકે, તમે વાઇન, બીયર, વોડકા વિશે તો જાણતા જ હશો, પરંતુ શેમ્પેનમાં શું ભરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શેમ્પેન પોતે કોઈ અલગ પદાર્થ નથી. શેમ્પેઈન એટલે સ્પાર્કલ વાઈન. એટલે કે, સાદા શબ્દોમાં, શેમ્પેનની બોટલમાં વાઇન ભરવામાં આવે છે અને આ વાઇન સ્પાર્કલ વાઇન છે, જે ખાસ રીતે બનાવવામાં આવે છે. આ કારણે, શેમ્પેનમાં નાના પરપોટા દેખાય છે અને તેથી જ જ્યારે બોટલને હલાવવામાં આવે છે અને ખોલવામાં આવે છે ત્યારે ફેણ બહાર આવે છે. આ સ્પાર્કલ વાઇન કેવી રીતે બને છે? સ્પાર્કલ વાઇન બનાવવા માટે, પહેલા વિવિધ પ્રકારની દ્રાક્ષનો રસ કાઢવામાં આવે છે અને તેમાં કેટલાક પદાર્થો ઉમેરીને આથો બનાવવામાં આવે છે. આ માટે, તેને પ્રથમ ટાંકીમાં રાખવામાં આવે છે અને લાંબા સમય સુધી એટલે કે ઘણા મહિનાઓ અથવા ઘણા વર્ષો સુધી આથો પ્રક્રિયામાં રાખવામાં આવે છે. આ પછી, તેને બોટલોમાં ભરવામાં આવે છે અને બોટલોને ઘણા વર્ષો સુધી ઊંધી રાખવામાં આવે છે. બોટલને લાંબા સમય સુધી ઊંધી કેમ રખાય છે? આથો આપ્યા પછી, તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. લાંબા સમય સુધી આમ કર્યા પછી, ફરી એકવાર કોર્કને તેના ઢાંકણની જગ્યાએ મૂકવામાં આવે છે અને તે સમયે તેને પહેલા બરફમાં રાખવામાં આવે છે અને દબાણથી બરફ અને ગંદકી બહાર આવે છે. આ પછી, બોટલને ફરીથી કેટલાક દિવસો સુધી ઊંધી રાખવામાં આવે છે અને તે પછી આ સ્પાર્કલિંગ વાઇન તૈયાર થાય છે. સ્પાર્કલિંગ વાઈનમાં આલ્કોહોલ લેવલ કેટલો હોય છે? જો આપણે આલ્કોહોલની ટકાવારી વિશે વાત કરીએ, તો તેમાં 11% સુધી આલ્કોહોલ છે. અને તે એક પ્રકારનો વાઇન છે.