સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી આ 3 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, સમજી વિચારીને કરજો ખર્ચ, આર્થિક સંકટમાંથી થવું પડશે પસાર

Sat, 18 Mar 2023-8:06 am,

સૂર્ય નું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવું નહીં તો આર્થિક સંકટમાંથી પસાર થવું પડશે. પોતાના સ્વાસ્થ્ય પર આ સમય દરમિયાન ધ્યાન આપવું નહીં તો માનસિક સમસ્યાથી ગ્રસ્ત થઈ શકો છો. વૈવાહિક જીવનમાં પણ મતભેદ થશે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું.

આ રાશિના લોકોને પણ સૂર્યનું ગોચર વિપરીત પરિણામ આપશે. આ સમય દરમિયાન જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આ સમય દરમિયાન જીવન સાથી સાથે સાથે લડાઈ ઝઘડા અને વિવાદ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન નવા કામની શરૂઆત ટાળવી કારણકે ધનહાનીના યોગ સર્જાઈ રહ્યા છે.

સૂર્યનું રાશિ પરિવર્તન ત્રીજા ભાવમાં થયું છે. જેના કારણે જીવનમાં પ્રતિકૂળ અસર વધારે જોવા મળશે. આ સમય દરમિયાન ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે તેથી ક્રોધ પર કાબુ રાખવો અને વિવાદથી બચવું. આ સમય દરમિયાન આર્થિક સંકટ નો પણ સામનો કરવો પડશે તેથી રોકાણ કરતી વખતે સમજી વિચારીને નિર્ણય લેવો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link