Anxiety: ખાવા-પીવાની આ 5 વસ્તુઓ વધારે છે એન્ઝાઈટી, શાંત રહેવું હોય આજથી જ બનાવી લો દુરી

Fri, 16 Feb 2024-2:22 pm,

આપણા શરીરને સૌથી વધુ અસર આહાર કરે છે. અને માનસિક સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો આધાર આહાર પર હોય છે. ખાસ કરીને એન્ઝાઈટી લેવલને કંટ્રોલ કરવું હોય તો કેફિન લેવાનું ટાળવું જોઈએ. જો દિવસ દરમિયાન તમે કેફિનનું સેવન વધારે કરો છો તો સ્ટ્રેસ પણ વધી શકે છે. ચા કે કોફી માં સૌથી વધુ કેફીન હોય છે.  

ઘણા લોકો તળેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. દિવસમાં ઘણી વખત લોકો તળેલી વસ્તુઓ ખાતા હોય છે પરંતુ તળેલી વસ્તુઓ ખાવાથી પણ એન્ઝાઈટી ટ્રીગર થાય છે. સાથે જ તળેલી વસ્તુઓ સ્થૂળતા અને હાર્ટ સંબંધિત સમસ્યા પણ વધારે છે.

આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે લોકોને એન્ઝાઇટીની સમસ્યા હોય તેમણે આલ્કોહોલ થી દૂર રહેવું જોઈએ. આલ્કોહોલથી એન્ઝાઈટી વધે છે અને સાથે જ કિડની અને લીવર પણ ડેમેજ થાય છે.

મીઠાઈ ખાવી દરેક વ્યક્તિને પસંદ છે પરંતુ જો એન્ઝાઇટી લેવલ વધારે રહેતું હોય તો મીઠી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી એન્ઝાઈટી વધે છે. વધારે પ્રમાણમાં મીઠાઈ ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે.

જો તમે પણ દિવસ દરમિયાન કોલ્ડ્ર ડ્રિંક્સ, મિલ્ક શેક જેવી વસ્તુઓનું સેવન વધારે કરો છો તો એન્ઝાઈટી લેવલ પણ વધારે જ રહેશે. એન્ઝાઈટી કંટ્રોલ કરવા માટે આ પ્રકારના સ્વીટ ડ્રિંક્સથી દૂર રહેવું.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link