Photos : સાળંગપુરના દાદાને 6.50 કરોડના સોનાના વસ્ત્રો અર્પણ કરાયા

Sat, 14 Nov 2020-2:35 pm,

આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ બની રહ્યો છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રોનું ઘણું મહત્વ છે. તમામ શાસ્ત્રો મુજબ, ત્રણ રાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે. જેમાં મહાશિવરાત્રી, કુષ્ણ પ્રગાટ્ય અને  કાળીચૌદશ. જેમાં આ રાત્રિમાં સ્વામીનારાયણ ભગવાનના કહ્યા મુજબ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. તેમજ તાંત્રિકો માટે ખૂબ જ મહત્વની અધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા અને સુખસંપત્તિને ઈચ્છતા લોકો માટે ખૂબજ મહત્વનું છે. આ મહારાત્રિમાં દેવી સપ્તીવાળા લોકો હાજર રહે છે, જે અધ્યાત્મિક સાધના, મંત્ર જાપ, યજ્ઞ, હવન પૂજન કરી અને અનંત ફળ પાપ્ર્ત થાય તેવી આશા રાખે છે.

આજે કાળી ચૌદશ અને શનિવારના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન  હનુમાનજી મંદિરે વહેલી સવારથી મહા આરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો. તેમજ અન્નકૂટ પણ દાદાને ધરવામાં આવ્યો હતો. તો આજે દાદાનો વહાલો શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ છે. તેથી દૂરદૂરથી મોટી સંખ્યામાં હરિભકતો આવી યજ્ઞમાં ભાગ લઈ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. આ સાથે જ આજે હનુમાનજી દાદાને 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના આભૂષણો, જે હીરા જડીત મોતીમાંથી બનેલ છે, તે વસ્ત્રો દાદાને અપર્ણ કરવામાં આવ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link