Winter Health Care: ઠંડીમાં સ્વસ્થ રહેવા માટે આ 6 વસ્તુઓને તમારી ડાયટમાં કરો સામેલ
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન, પ્રોટીન, ફાઈબર વગેરેના ગુણો જોવા મળે છે. જે મોસમી ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી બજારમાં સરળતાથી મળી રહે છે.
તુલસી અને મધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચા અને તુલસીના પાનનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે જે શરદી, ઉધરસ, તાવ અને શ્વાસ સંબંધી સમસ્યાઓ મટાડે છે. જે મોસમી ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.
ગાજર, બટેટા, ડુંગળી, લસણ, મૂળો, રતાળ, શક્કરિયા, બીટરૂટ, સરગવા જેવા કંદમૂળ શાકભાજી ખાઓ. આ શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, તેમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. તે શરીરને શક્તિ આપે છે અને શરીરને ગરમ રાખે છે.
તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આ જ્યૂસમાં આયર્ન, વિટામિન એ અને વિટામિન સી હોય છે. તેનાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે તમને બદલાતી ઋતુઓમાં થતા રોગોથી દૂર રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
હર્બલ ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે, જે અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે. હર્બલ ટી પીવાથી તણાવ પણ ઓછો થાય છે. આને પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને મેટાબોલિઝમ સુધરે છે.
શિયાળામાં ગોળ ખાવાથી શરદી અને ફ્લૂનો ખતરો ઓછો થઈ શકે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝિંક હોય છે જે હાડકાં અને સાંધાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.