ભક્તોની અનોખી યાત્રા! વિશ્વ કલ્યાણના સંદેશા સાથે જામનગરથી 6 શ્રદ્ધાળુઓ બાઈક પર અમરનાથની યાત્રાએ રવાના

Thu, 06 Jul 2023-11:02 pm,

જામનગરથી છેલ્લા 13 વર્ષ બાઈકમાં અમરનાથ યાત્રાએ જતા દિલીપસંગ ભીમસંગ જાડેજા દર્શન માટે જાય છે. અગાઉ તેઓ એકલા અને મિત્રો સાથે જામનગર થી અમરનાથ બાઇક યાત્રા કરી ચૂક્યા છે આ વર્ષે ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કિશોરસિંહ રાઠોડ, વિજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા, જયરાજસિંહ પિંગળ, દુર્લભભાઈ પટેલ ત્રણ બાઈકો લઈ જામનગરથી અમરનાથ રવાના થયા છે. 

જામનગર થી નીકળેલા ત્રણેય શિવ ભક્તો સામખયારી, રાધનપુર થઈ સૂઈ, વાવ, થરાદ, સાચોડ, રામદેવડા, બિકાનેર સુરજગઢ, હનુમાનગઢ, ગંગા નગર, ફીરોજપુર, અમૃતસર, પઠાણકોટ, જમ્મુ, શ્રીનગર, બાલતાલ પહોંચી અંદાજે 10 થી 11 દિવસે રસ્તામાં રાત્રી રોકાણ કરતા કરતા અમરનાથ દર્શનાર્થે પહોંચશે. આગામી 17 જુલાઈએ અમરનાથ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. જ્યાં જામનગર થી અમરનાથ જતા શિવભકતો દર્શન કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link