Health Tips: આ 6 અનાજના લોટની રોટલી ખાવાથી શરીર થાય છે લોખંડ જેવું મજબૂત
ગરમીના દિવસોમાં સત્તુના લોટની રોટલી ખાવાથી પેટ શાંત થાય છે અને લુ થી પણ બચાવ થાય છે. સત્તુ ખાવાથી હાડકા અને સ્નાયુ મજબૂત થાય છે. સત્તુના લોટમાંથી રોટલી બનાવવી હોય તો તેમાં અજમો પણ ઉમેરી દેવો.
જુવારના લોટમાંથી રોટલી બનાવીને ખાવી પણ સ્વાસ્થ્યવર્ધક સાબિત થાય છે. જુવારના લોટમાંથી સરળતાથી રોટલી બનાવી હોય તો હૂંફાળા પાણીથી લોટ બાંધવો અને 10 મિનિટ સુધી લોટને ઢાંકીને રાખી દેવો ત્યાર પછી રોટલી બનાવશો તો સરળતાથી બનશે.
ઘઉંના લોટનો ઉપયોગ રોજ કરવામાં આવે છે. ઘઉંના લોટનો રોટલી ખાવાથી શરીરને અને ત્વચાને ફાયદો થાય છે.
બાજરાનો લોટ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જે લોકોને વજન અને બ્લડ સુગર સંબંધિત સમસ્યા હોય તેમણે બાજરાના લોટની રોટલી ખાવી જોઈએ. તેનાથી શરીરને પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળે છે.
જવના લોટમાંથી બનેલી રોટલી પણ શરીરને શક્તિ આપે છે. આ રોટલી પાચનશક્તિને સુધારે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે પેટ સાફ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યા થતી નથી.