વરસાદની સીઝનમાં AC નું ટેમ્પ્રેચર કેટલું રાખવું જોઈએ? 90% લોકો નથી જાણતા તેનો જવાબ

Fri, 09 Aug 2024-6:51 pm,

વરસાદની સીઝનમાં પણ ઘણા લોકો એસી ચલાવતા હોય છે. પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલ કરે છે જેનાથી હેલ્થને નુકસાન થઈ શકે છે.

સામાન્ય રીતે ગરમીની સીઝનમાં લોકો AC નું ટેમ્પ્રેચર 20°C ની આસપાસ કે તેનાથી ઓછું રાખે છે. જ્યારે વરસાદમાં એસીનું તાપમાન યોગ્ય રાખવું જરૂરી છે. જેથી વીજળીનું બિલ પણ બચાવી શકાય.  

ગરમીની સીઝનમાં સામાન્ય રીતે લોકો એસીનું ટેમ્પ્રેચર 20 ડિગ્રી કે તેનાથી ઓછું રાખે છે. પરંતુ એક્સપર્ટ અનુસાર વરસાદની સીઝનમાં એસીનું ટેમ્પ્રેચર 24થી 26 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. આ તાપમાનથી રૂમ ઠંડો થશે અને તમને ભેજથી રાહત મળશે.

વરસાદમાં માત્ર એસીનું ટેમ્પ્રેચર જ નહીં પરંતુ તેના મોડમાં પણ ફેરફાર કરવો જોઈએ. વરસાદમાં એસીને ડ્રાઈ મોડ પર ચલાવવું જોઈએ. તેનાથી તમને ભેજમાં રાહત મળશે અને રૂમ પણ ઠંડો રહેશે. આ સિવાય લેટેસ્ટ એસીમાં આજકાલ હ્યુમિડ મોડ આપવામાં આવ્યો છે, જે ભેજ દૂર કરે છે. આ મોડ એસીના રિમોટમાં પાણીના ટીંપાની જેમ દેખાય છે.

જો તમે વરસાદમાં એસીના ટેમ્પ્રેચર અને મોડનું ધ્યાન રાખો છો તો દર મહિને વીજળીનું બિલ પણ ઓછું આવશે અને તમારી બચત થશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link