અંબાલાલ પટેલે આપી મોટી ચેતવણી, કડકંડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી; આ જિલ્લાવાળા રહેજો સાવધાન

Mon, 27 Jan 2025-5:00 pm,

ગુજરાતમાં ફરીથી અચાનક ઠંડી વધવા લાગી છે. રાજ્યમાં ફરી ઠંડીમાં વધારો થતા ગુજરાતનું કાશ્મીર ગણાતું નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે રાજકોટ અને જામનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે, રાજ્યના હવામાનમાં હજી મોટો પલટો આવવાનો છે. કેટલાક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે ચેતવણી આપી કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે. 

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 30 જાન્યુઆરીથી માવઠાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પારો 10 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. એટલું જ નહીં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તેમજ 3 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે. ઠંડીનો ચમકારો જોવા મળશે. આ દિવસોમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 

આગામી સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે. ગુજરાતમાં વધુ એકવાર કમોસમી સંકટ આવી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને માવઠું આવશે. ત્યારે ફરી એકવાર વરસાદી સંકટથી ચેતીને રહેજો.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે.  

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જો કે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link