અરબ સાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય; જાણો ગુજરાતમાં ક્યાં કરાઈ છે `ભયાનક` વરસાદની આગાહી?

Fri, 29 Dec 2023-6:57 pm,

હાલ વિશ્વમાં જો કોઈ સૌથી વધારે દુઃખી હોય તો તે જગતનો તાત છે. કારણ કે કોઈ પણ મોસમ હોય, જગતના તાતને હંમેશા વેઠવાનું જ આવે છે. જો વરસાદ પડે પરંતુ તે વધારે પડી જાય તો તાત મુશ્કેલીમાં મુકાય છે. ઓછો વરસાદ પડે તો તાત મુશ્કેલીમાં મુકાય છે. વધુ ઠંડી પડે તો તાત મુશ્કેલીમાં, ઠંડી ન પડે તો પણ તાત મુશ્કેલીમાં મુકાય છે. આખરે ધરતીપુત્ર કુદરતના મારથી બહાર નીકળી શક્તો જ નથી. સારી રીતે વાવણી થાય અને બે પાંદડે થવાના સારા દિવસો આવે તો હવે આ માવઠા મારી નાંખે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માવઠાનો માર વધી ગયો છે. થોડા સમય પહેલા જ આવેલા કમોસમી વરસાદને કારણે મોટા પાયે નુકસાન થયું હતું ત્યાં ફરી માવઠું વરસે તેવી પુરેપુરી સંભાવના છે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પહેલી જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી પલટો આવી શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. જેથી આ સિસ્ટમ આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 29 થી 30 ડિસેમ્બરમાં વેસટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળાના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં મહીસાગર, પંચમહાલમાં માવઠું વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરાકાંઠા તથા કચ્છમાં વરસાદની અંબાલાલે આગાહી કરી છે. સાથે જ દેશના 70 ટકા ભાગમાં વાતાવરણ બદલાય તેવી સંભાવના છે. 

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી તારીખ 1થી 5 જાન્યુઆરી સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રભરના લોકોને ચિંતા વધારી દીધી છે.

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે કારણે બંગળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. જાન્યુઆરી 1 થી 5 દરમિયાનમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. 

કમોસમી વરસાદની સંભાવના વચ્ચે આ વખતે ગુજરાતના ખેડૂતોએ મોટા પાયે રવિ પાકોનું વાવેતર કર્યું છે. રવિ સિઝનનું કુલ વાવેતર 93.42 ટકાએ પહોંચ્યું છે. રાજ્યમાં કયા પાકનું કેટલું વાવેતર થયું તેની જો વાત કરીએ તો, ઘઉંનું 11.64 લાખ હેક્ટરમાં વાવેતર, જીરાનું 5.44 લાખ હેક્ટરમાં વાવેતર, વરિયાળીનું 1.28 લાખ હેક્ટરમાં, સુવાનું 24 હજાર હેક્ટરમાં, ઈસબગુલનું 24 હજાર હેક્ટરમાં, મકાઈનું 1.08 લાખ હેક્ટરમાં, ચણાનું 5.90 લાખ હેક્ટરમાં, રાઈનું 2.67 લાખ હેક્ટરમાં, શેરડીનું 2.67 લાખ હેક્ટરમાં, ધાણાનું 1.20 લાખ હેક્ટરમાં, બટાકાનું 1.33 લાખ હેક્ટરમાં અને ડુંગળીનું 66 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. વાત જો રાજ્યમાં ઝોનવાઈસ થયેલા વાવેતરની કરીએ તો, કચ્છ ઝોનમાં 1.47 લાખ હેક્ટરમાં, ઉત્તર ગુજરાતમાં 12.80 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાતમાં 8.72 લાખ હેક્ટરમાં, સૌરાષ્ટ્રમાં 16.79 લાખ હેક્ટરમાં, અને દક્ષિણ ગુજરાતમાં 3.28 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link