24 એપ્રિલથી 3 રાશિના લોકો કહેશે ખુલ જા સિમ-સિમ, મળશે ખુશીઓનો ખજાનો

Thu, 20 Apr 2023-1:41 pm,

વૈદિક જ્યોતિષમાં કોઈપણ ગ્રહની ચાલમાં પરિવર્તન કે અસ્ત કે ઉદય તવા પર દરેક 12 રાશિઓ પ્રભાવિત થાય છે. તેવામાં બુદ્ધિના કારક ગ્રહ બુધનું બે દિવસ બાદ થનારૂ  પરિવર્તન ત્રણ રાશિઓ માટે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.

 

 

23 એપ્રિલ 2023ની રાત્રે 11 કલાક 58 મિનિટ પર બુધ અસ્ત થવા જઈ રહ્યાં છે. આ ત્રણ રાશિઓ માટે શુભ સંકેત હશે જેનો ભાગ્યનો દરવાજો ખુલવાનો છે. ચાલો જાણીએ આ રાશિ કઈ છે. 

 

 

 

પહેલાં ભાવમાં અસ્ત થઈને બુધ તમને કરિયરમાં ઉચ્ચ સ્થાને પહોંચાડી શકે છે. ખુબ મહેનત કરાવી બુધ તમારો વિકાસ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલાં લોકોને સારા પરિણામ મળશે. તમારા આત્મવિશ્વાસમાં ગજબની ચમક હશે જે લોકોને આકર્ષિત કરશે. બિઝનેસમાં નવા આઈડિયા લાવી તમે પ્રગતિ કરશો. 

 

 

બુધ 11મા ભાવમાં અસ્ત થશે અને આગળના જીવનનો પાયો નાખશે. આ દરમિયાન, તમને તમારી કારકિર્દીમાં મિશ્ર પરિણામો મળશે, પરંતુ આ તૈયારી ભવિષ્ય માટે હશે. આ સમય દરમિયાન તમે જેટલું વધારે કામ કરશો તેટલો જ તમને ફાયદો થશે. પરંતુ આ સ્પર્ધાનો સમય હશે, કઠિન પડકારનો સામનો કરવો પડશે. બિઝનેસમાં પ્લાનિંગ સાથે આગળ વધશો તો સારી સફળતા મળશે.

 

તમારા 8મા ભાવમાં સ્થિત બુધ તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. પરંતુ ક્યાંક તમે થોડું એકલાપણું અનુભવી શકો છો. આ સમય ખૂબ જ મહેનતવાળો રહેશે, જે ભવિષ્યમાં લાભ આપશે. સટ્ટાબજારમાં રોકાણ કરવાથી સારો નફો મળશે.(પરંતુ નિષ્ણાતની સલાહ લો) જો કે આ સમય વ્યાપારીઓ માટે યોગ્ય નથી, પરંતુ ખૂબ જ સમજી-વિચારીને રોકાણ કરો.

 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)  

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link