Vastu Tips: ઘરમાં મહાદેવની તસવીર કે મૂર્તિ રાખતા પહેલાં જાણી લો આ નિયમો, ભૂલથી પણ ના કરતા આવી ભૂલ

Fri, 02 Sep 2022-9:43 am,

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં શિવજીની તસ્વીર કે મૂર્તિ લગાવતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. તો ચાલો, જાણીએ કે ઘરમાં શંકર ભગવાનની તસ્વીર કે મૂર્તિ રાખતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે.

ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં આવેલુ છે. એવામાં ઘરમાં શિવજીની મૂર્તિ કે તસ્વીર લગાવો છો, તો ઉત્તર દિશામાં રાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં શિવજીની ક્રોધિત તસ્વીર કે મૂર્તિ ન લગાવવી જોઈએ, કારણકે તેને વિનાશનું પ્રતિક માનવામાં આવે છે.

ઘરમાં શિવજીના પરિવારની તસ્વીર લગાવવી શુભદાયી માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આમ કરવાથી ઘરમાં કલેશ-કંકાસ નથી થતો. સાથે જ બાળકો આજ્ઞાકારી બને છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે પ્રતિમા એવી જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ, જ્યાંથી દરેક દર્શન કરી શકે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં શિવજીની એવી મૂર્તિ કે પ્રતિમા લગાવો જેમા તેઓ ખુશ અને હસ્તી મુદ્રામાં હોય. કહેવામાં આવે છે કે, આવી તસ્વીર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ભગવાન શિવ-શંકરની તસ્વીર કે મૂર્તિ ઘરમાં એવી જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ, જ્યાં હંમેશા સાફ-સફાઈ થતી હોય. મૂર્તિની આસપાસ બિલકુલ પણ ગંદકી ન હોવી જોઈએ. જો ભગવાન શિવની મૂર્તિ કે તસ્વીરની આસપાસ ગંદકી હોય તો દોષ વધે છે અને આર્થિક નુકસાન થઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link