500 વર્ષ બાદ 5 દુર્લભ યોગનો સંયોગ, આ 3 રાશિવાળાને થશે જબરદસ્ત આકસ્મિક ધનલાભ, ભાગ્યના જોરે સુખ-સંપત્તિ વધશે

Wed, 07 Aug 2024-11:50 am,

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અનેક દુર્લભ યોગ બનાવતા હોય છે. અત્રે જણાવવાનું કે આવનારા ગણતરીના કલાકોમાં 500 વર્ષ બાદ 5 દુર્લભ યોગ બનવા જઈ રહ્યા છે. જેમાં નાગ પંચમી (ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં 9મી ઓગસ્ટે ઉજવાશે નાગપંચમી)ના દિવસે 500 વર્ષ બાદ 5 દુર્લભ યોગ બનવા જઈ રહ્યા છે. જેમાં આ દિવસે શુક્ર અને બુધ મળીને લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યા છે. જ્યારે શનિ પોતાની રાશિ કુંભમાં ગોચર કરીને શશ રાજયોગ બનાવી રહ્યો છે. જ્યારે ચંદ્રમા કન્યા રાશિમાં હશે અને રાહુ સાથે મળીને સમસપ્તક યોગ બનાવશે. આ સાથે જ શુભ અને સિદ્ધ યોગ પણ આ જ દિવસે બની રહ્યા છે. 

આવામાં આ રાજયોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને આકસ્મિક ધનલાભના યોગ અને પ્રગતિના પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...

મેષ રાશિવાળા માટે 5 રાજયોગનું બનવું ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો  થઈ શકે છે. આ સાથે જ નોકરીયાતોને કાર્યસ્થળ પર કોઈ મોટી જવાબદારી મળી શકે છે. બિઝનેસને લઈને તમે કેટલાક નવા આઈડિયા પર કામ કરશો તો ભાગ્યના જોરે તેમાં સફળતા જરૂર મળશે. કોઈ મોટી ફાયદાકારક ડીલ થશે. આ સાથે જ વાહન કે પ્રોપર્ટી લેવાનું વિચારી શકો છો. તમારી ઈચ્છાઓ પૂરી થશે. અટવાયેલું ધન પાછું મળી શકે છે.   

વૃષભ રાશિવાળા માટે પણ આ પાંચ રાજયોગનું બનવું ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. રોકાણથી લાભના યોગ છે. ઘર પરિવારમાં બધા વચ્ચે આપસી સમજ અને સામંજસ્ય સૌથી સારું રહેશે. તમારું લગ્નજીવન સુખમય રહેશે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો જે શુભ નીવડશે. તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય ખુબ જ ફળદાયી રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સફળતા મળશે. 

તમારા માટે 5 રાજયોગનું બનવું ખુબ જ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. તમારી કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. લોકપ્રિયતા વધશે. વેપારના વિસ્તાર માટે જે પણ ધન વાપરશો તે બમણા થઈને મળશે. નોકરીયાતોને આ દરમિયાન મહેનતનું પૂરું ફળ મળશે. દાંપત્ય જીવનમા ખુશહાલી વધશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે. કુંવારા લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link