Odisha Train Accident: ટક્કર થતા જ પલટી ગઈ બોગીઓ, એક બીજા પર પડવા લાગ્યા લોકો, અકસ્માતની દર્દનાક તસવીરો

Sat, 03 Jun 2023-7:59 am,

શનિવારે સવારે અકસ્માતની તસવીર સ્પષ્ટ થઈ. બહનાગા બજાર વિસ્તારમાં રાતભર દર્દનાક ચીસો સાંભળવા મળી. જાણવા મળ્યું છે કે ટ્રેનના ડબ્બાના કાટમાળમાં હજુ પણ મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના અનેક એસી કોચ આગામી ટ્રેક પર પલટી ગયા હતા. આથી તેમાં મોતનો આંકડો સૌથી વધુ છે.

પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 233 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. સુપરફાસ્ટ ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસ તમિલનાડુના ચેન્નાઈથી પશ્ચિમ બંગળના શાલીમાર સ્ટેશન જઈ રહી હતી. ટક્કર ખુબ ભયાનક હતી. કોરોમંડલ ટ્રેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અનેક ડબ્બા માલગાડી પર ચડી ગયા. 

ભારતીય રેલવેએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ટ્રેન નંબર 12841 ચેન્નાઈ સેન્ટ્રલથી શાલીમાર જઈ રહી હતી. 2 જૂન બપોરે 3.30 વાગે શાલીમાર માટે રવાના થઈ હતી. સામેજ 8.30 વાગે ખડગપુર ડિવિઝનમાં આવનારા બહનાગા બજાર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ. 

મળતી માહિતી મુજબ હાવડા જઈ રહેલી બેંગ્લુરુ- હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના અનેક ડબ્બા બાહાનગામાં પાટા પરથી ઉતરી ગયા અને બીજા પાટા પર જઈ પડ્યા. પાટા પરથી આ ઉતરી ગયેલા ડબ્બા શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે ટકરાયા અને તેના ડબ્બા પણ પલટી ગયા. 

કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલગાડી સાથે ટકરાયા જેથી માલગાડી પણ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગઈ. 

હાલ અપ અને ડાઉન બંને ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધસ્તરે ચાલુ છે. ઓડિશા સરકાર મદદ માટે દુર્ઘના સ્થળ પર નજરેટર સાથે પહોંચી. એનડીઆરએફની પણ અનેક ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

ઓડિશા ટ્રેન અકસ્માતમાં બચેલાલોકો તરફથી ઘટના અંગે જે હચમચાવતી કહાનીઓ સામે આવી છે તે જાણીને બધા સ્તબ્ધ છે. સ્વજનોને ગુમાવી ચૂકેલા આ લોકોની સ્થિતિ દર્દનાક છે. ઘટનાના  અનેક પ્રત્યક્ષદર્શીઓની કહાની સામે આવી રહી છે. 

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના એક મુસાફરે જણાવ્યું કે અમે લોકો એસ5 બોગીમાં હતા. ઘટના સમયે હું મારી સીટ પર સૂતો હતો. અચાનક એક જોરદાર ઝટકો લાગ્યો અને બોગી પલટી ગઈ. બાદમાં મે જોયું તો કોઈનું માથું નહતું તો કોઈનો હાથ કે પગ કપાયેલા હતા. 

મુસાફરે જણાવ્યું કે અમારી સીટ નીચે એક 2 વર્ષનો બાળક હતો જે સુરક્ષિત રીતે બચી ગયો. બાદમાં અમે તેના પરિવારજનોને બચાવ્યા. એક અન્ય મુસાફરે જણાવ્યું કે મને ઊંઘ આવી ગઈ હતી. જ્યારે ટ્રેનનો એક્સિડન્ટ થયો તો હું જે બોગીમાં હતો તે પલટી ગઈ. 

આ અકસ્માતમાં જાનહાનિ વધુ થવાનું કારણ એ પણ છે કે તેમાંથી બે પેસેન્જર ટ્રેનો છે. જ્યારે ટ્રેન પાટા પરથી ઉતરી તો ડબ્બામાં અનેક લોકો ફસાયેલા હતા. આ ઉપરાંત અંધારું હોવાના કારણે બચાવ અભિયાનમાં પણ મુશ્કેલીઓ આવી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link