Banana Flower Benefits: કેળા નહીં તેનું ફૂલ પણ છે કમાલ! પુરૂષોની 7 સમસ્યાઓ થશે ખતમ, જાણો ઉપયોગની રીત

Tue, 11 Jul 2023-9:46 pm,

કેળાના ફૂલમાં જોવા મળતા તત્વોઃ કેળાના ફૂલમાં ફાઈબર, પ્રોટીન, વિટામીન એ, વિટામીન સી, ઈ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટની નોંધપાત્ર માત્રા હોય છે. આ કારણોસર તે ઘણા રોગો સામે લડવા માટે ઉપયોગી છે. ચાલો જાણીએ કે કઈ સમસ્યાઓમાં કેળાના ફૂલનો ઉપયોગ કરી શકાય છે.

કિડનીના સ્વાસ્થ્ય માટે: કેળાના ફૂલમાં નેફ્રો પ્રોટેક્ટિવ એક્ટિવિટી હોય છે જે કિડનીને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. કેળાના ફૂલમાં હાજર ફાઈબર કિડનીની પથરી સામે લડે છે.

પ્રોસ્ટેટ ગ્રંથિ માટે: કેળાના ફૂલોમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલ સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડ પ્રોસ્ટેટ ગ્રંથિને સામાન્ય કદમાં લાવે છે.

ડાયાબિટીસમાં ઉપયોગી: કેળાના ફૂલમાં એવા ગુણ હોય છે જે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. તે શરીરમાં ધીમે ધીમે ગ્લુકોઝ છોડે છે. તેમજ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર માટે: કેળાના ફૂલ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત આપે છે. તે હાયપરટેન્સિવ વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. તેમાં રહેલા ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા પોષક તત્વો અન્ય ઘણી બીમારીઓમાં મદદરૂપ છે.

હાડકાં થશે મજબૂત: કેળાના ફૂલમાં એવા તત્વો હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. તેમાં ઝિંકનું પ્રમાણ હોય છે જે હાડકાને  નબળા પડતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ ક્વેર્સેટિન અને કેટેચીન્સ હોય છે જે હાડકાં માટે ફાયદાકારક છે.

એનિમિયા સામે લડવામાં મદદરૂપઃ કેળાના ફૂલમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. આ કારણથી એનિમિયાની સમસ્યાથી પીડિત લોકોએ તેનું નિયમિત સેવન કરવું જોઈએ.

હૃદયની સમસ્યાઓમાં ફાયદાકારકઃ કેળાના ફૂલમાં રહેલા ટેનીન, ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલ સામે લડવામાં અને ઓક્સિડેટીવ નુકસાનને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદયના દર્દીઓની ઘણી સમસ્યાઓ ઓછી થાય છે.

કેળાના ફૂલનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકાય છે. તેને બનાવવા માટે કેળાના ફૂલને એક ગ્લાસ પાણીમાં ઉકાળો, પછી તેમાં એક ચપટી મીઠું નાખો. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે તેને સારી રીતે ગાળીને ઠંડું કરીને તેનું સેવન કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link