Bank FD કરનારાઓ માટે મોટું અપડેટ, આ 4 બેંકોએ કર્યા છે મોટા ફેરફાર, આજે જ જાણી લો

Thu, 21 Sep 2023-3:30 pm,

IDBI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેંકના નવા નિયમો 15 સપ્ટેમ્બર 2023થી લાગુ થઈ ગયા છે. સામાન્ય નાગરિકો માટે, FD પર 7 દિવસથી 10 વર્ષ સુધીનું વ્યાજ 3% થી 6.80% સુધી ઉપલબ્ધ છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને 3.50% થી 7.30%ના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે.  

એક્સિસ બેંકે રૂ. 2 કરોડથી ઓછી મુદ્દતની એફડી પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. એક્સિસ બેંકે FDના દરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે. બેંકના નવા દરો 15 સપ્ટેમ્બરથી લાગુ થશે. સુધારા પછી, એક્સિસ બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે 3% થી 7.10% ની વચ્ચે વ્યાજ દર ઓફર કરી રહી છે.

 

કોટક મહિન્દ્રા બેંકે રૂ. 2 કરોડથી ઓછી લોનના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. સુધારેલા દરો 13 સપ્ટેમ્બરથી લાગુ થશે. બેંક સામાન્ય નાગરિકોને 2.75% થી 7.25% ના દરે વ્યાજ આપી રહી છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 3.25% થી 7.75% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય 23 મહિનાના કાર્યકાળ પર વ્યાજ દર 25 bps વધારીને 7.20 થી 7.25% કરવામાં આવ્યો છે.

 

યસ બેંકે ચોક્કસ સમયગાળા માટે રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝિટ ધરાવતી FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે.

 

સુધારા બાદ બેંક સામાન્ય નાગરિકોને 3.25% થી 7.75% ના દરે વ્યાજ આપી રહી છે. યસ બેંકની વેબસાઇટ અનુસાર, બેંક વરિષ્ઠ નાગરિકો માટે 3.75% થી 8.25% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. બેંકના સંશોધિત FD દરો 4 સપ્ટેમ્બર, 2023થી લાગુ થશે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link