વિશ્વને આંજી દેતો મહોત્સવ અમદાવાદમાં યોજાશે! 600 એકરમાં બન્યું અનોખું સ્વામિનારાયણનગર, PHOTOs

Sat, 10 Dec 2022-8:09 pm,

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. 

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.

600 એકરમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કરવામાં આવશે. બાકીની 400 એકરમાં સ્વયંસેવકો માટે એક કેન્ટીન, રહેવા અને નાસ્તાની સુવિધા બનાવવામાં આવશે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુના ફ્લેટમાં લગભગ 700 સ્વામીઓના રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવશે..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link