સુગર-બીપી-ઓબેસિટી... બધામાં મળશે રાહત, બસ આ છોડના પાન ચાવો!

Sun, 30 Jun 2024-7:34 pm,

પ્રકૃતિએ આપણે ઘણા પ્રકારના એવા છોડ આપ્યા છે, જેમાં ઔષધીય ગુણ હોય છે. આવો ઔષધીય ગુણોથી ભરપૂર એક છોડ છે મીઠો લીંબડો. આપણા ખાનપાનની રીત ઘણી બદલી ગઈ છે અને બીમારીઓ થાય છે. તમે દરરોજ મીઠા લીંબડાનું સેવન કરી બીમારીથી બચી શકો છો.

 

 

જો તમે દરરોજ મીઠા લીંબડાનો ઉપયોગ કરશો તો ઘણી બીમારીથી બચીને રહેશો. આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર સવારે ઉઠી ખાલી પેટ 4થી 5 મીઠા લીંબડાના પાંદડા ચાવવા જોઈએ. આમ કરવાથી પાચન તંત્ર સારૂ રહે છે અને ભૂખ પણ લાગે છે. 

 

એક્સપર્ટ અનુસાર મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે ખાલી પેટ 8-10 મીઠા લીંબડાના પાંદડા ચાવવા જોઈએ. તેમાં રહેલા ઔષધીય ગુણ મોટાપો ઘટાડવામાં મદદ કરે છે.

 

મોટાપાની સાથે આજના સમયમાં લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન રહે છે. જો તમે મીઠા લીંબડાનું તેલ તમારા વાળમાં લગાવશો તો ખરતા વાળથી રાહત મળે છે. 

બ્લડ પ્રેશર, સુગર જેવી બીમારીમાં પણ મીઠો લીંબડો રાહત આપે છે, પરંતુ જો તમને મીઠા લીંબડાથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરો નહીં.

 

જો તમને ડાયરિયાની સમસ્યા હોય તો તમે દરરોજ ભોજનમાં મીઠો લીંબડાનો ઉપયોગ કરી શકો છો. તો આ હતા મીઠા લીંબડાના ફાયદા, જેનો ઉપયોગ કરી તમે હેલ્ધી રહી શકો છો. 

Disclaimer:  Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link