ખજૂર ખાવાથી અટકી જાય છે વધતી ઉંમર, આ ફાયદાથી કહેવાય છે વંડર ફ્રૂટ

Thu, 17 Oct 2019-3:30 pm,

ખજૂરમાં મોટા પ્રમાણમાં ગ્લૂકોઝ, ફ્રૂક્ટોઝ અને સુક્રોઝ રહેલું છે. જે તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.

ખજૂરમાં મોટા પ્રમાણમાં ફાઈબર રહેલું છે. જે પાંચન ક્રિયા સારી બનાવે છે. જેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. જો રાત્રે 45 ખજૂર પાણીમાં પલાળીને વહેલી સવારે ખાલી પેટે ખાવી જોઇએ. જો તમે ઈચ્છો તો રાત્રે દૂધમાં ઉકાળીને પણ ખજૂર ખાઇ શકો છો.

જો તમારું વજન ઓછું હોય તો ખજૂર ખાવી તમારા માટે ઘણું ફાયદાકારક સાબીત થઇ શકે છે. ખજૂરમાં સુગર, વિટામિન અને પ્રોટિન રહેલું છે. જે વજન વધારવાનું કામ કરે છે.

ખજૂરમાં વિટામિન-A અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે આંખો માટે ખુબજ જરૂરી તત્વ હોય છે. ખાસ કરીને રાત્રીના અંધત્વની બિમારીથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક છે.

ખજૂરમાં ઘણા બધા મિનરલ હોય છે. જે હાડકાને મજબૂતી આપે છે. તેમાં કેલ્શિયમ, સેલેનીયમ, મેગનીઝ અને કોપરનું પ્રમાણ વધારે રહેલું છે.

ખજૂર સ્કિન માટે ખુબ જ સારી હોય છે. તેને નિયમિત ખાવાથી એન્જિગ લાઇન્સ કરચલીઓ અને ફ્રીકલ આવવામાં વાર લાગે છે. આ સાથે જ તમારી સ્કિન પર ગ્લો ઓન જોવા મળે છે. 

ખજૂરમાં આયરન, કેલ્શિયમ, મેગ્રીનિશિયમ, ફોસ્ફોરસ અને સેલિનિયમ મોટા પ્રમાણમાં મળે છે. એટલા માટે તેને ખાવાથી લોહીમાં હેમોગ્લોબિન વધી જાય છે. એનેમીયા થવા પર ખજૂર ખાવી જોઇએ.

રોજ ખજૂરના સેવથી પુરૂષોની મરદાનગી વધે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link