શું લિવરની બિમારીઓ અને જોખમને ઘટાડવા માંગો છો? તો ચોક્કસ ખાઓ આ 5 ખોરાક

Fri, 30 Aug 2024-3:55 pm,

હળદરમાં કર્ક્યુમિન નામનું શક્તિશાળી સંયોજન હોય છે જે લીવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કર્ક્યુમિનમાં બળતરા વિરોધી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે જે લીવરની બળતરા ઘટાડવામાં અને તેને ઝેરી તત્વોથી બચાવવામાં મદદ કરે છે. હળદરનો નિયમિત ઉપયોગ કરવાથી લીવરની કામગીરીમાં સુધારો થઈ શકે છે. તેને રસોઈમાં ઉમેરો અથવા તેને દૂધમાં ભેળવીને પણ લઈ શકાય.

બીટરૂટમાં ભરપૂર માત્રામાં બીટેઈન અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે લીવરની ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. બીટરૂટમાં ફાઈબર પણ હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તમે તેનું સેવન સલાડ, સૂપ અથવા જ્યુસના રૂપમાં કરી શકો છો.

લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી અને સરસવના પાન લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ વિટામીન, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે લીવરના કાર્યને વધારે છે અને ઝેરને દૂર કરવામાં મદદ કરે છે. તમે તેને સલાડ, સૂપ અથવા શાકભાજીના રૂપમાં લઈ શકો છો.

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે લીવરની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થાય છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ બળતરા ઘટાડવામાં અને લીવરની ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. દરરોજ કેટલાક અખરોટ ખાઓ અથવા તેને તમારા આહારમાં સામેલ કરો.

ગ્રીન ટીમાં કેટેચિન નામના એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેટેચીન લીવર કોષોને નુકસાનથી બચાવે છે અને તેને સુધારવામાં મદદરૂપ થાય છે. દરરોજ ગ્રીન ટીનું સેવન કરવાથી લીવરની તંદુરસ્તી સુધરી શકે છે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link