ગુજરાતમાં બન્યું અદભૂત ભૂલભૂલૈયા ગાર્ડન, 3 એકર જગ્યામાં ફરતા ફરતા એવા ખોવાઈ જશો

Sat, 29 Oct 2022-2:21 pm,

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે ત્રણ એકરમાં આ ભવ્ય ભૂલભૂલૈયા ગાર્ડન બનાવવામાં આવ્યું છે  જેમાં પ્રવાસીઓને પોઝિટિવ એનર્જી મળે તે હેતુથી શ્રીયંત્રના આકારમાં અહીં વિવિધ છોડવાઓ રોપવામાં આવ્યા છે. લગભગ 1 લાખ 80 હજાર જેટલા પ્લાન્ટ્સને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા છે.

પ્રવાસીઓ અહીં આવે તો પ્લાન્ટ્સની વચ્ચે ભૂલા પડ્યા હોય તે પ્રકારનો અહેસાસ થશે. પરંતુ જો કોઈ ખોવાઈ જાય તો અહીં રહેલા ગાઈડ આ પ્રવાસીઓને રસ્તો શોધવામાં મદદ પણ કરશે અને બહાર પણ કાઢશે.

પોઝિટિવિટીથી ભરપૂર શ્રીયંત્રના આકારમાં આ ભૂલભૂલૈયા મેઝ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓના આકર્ષણમાં વધુ ઉમેરો કરશે. 

આ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link