ભલે મોજ ભલે; ખમીરવંતા ગુજરાતી ખેડૂતની અનોખી પહેલ, 20 લાખના ખર્ચે બનાવ્યું આલીશાન પંખીઘર, મળ્યો મોટો એવોર્ડ

Mon, 28 Feb 2022-8:00 am,

શિવલિંગ આકારનું આ પક્ષી ઘર બનાવતા ભગવાનજીભાઈને 2 વર્ષ લાગ્યા અને 20 લાખનો ખર્ચ થયો છે. આ પક્ષી ઘરમાં પક્ષીઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે.

જ્યારે, 10 હજારથી પણ વધારે પક્ષીઓ અહીં રહી શકે તેવી બનાવટ છે. ત્યારે, ભગવાનજી ભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રેમને નોંધ લઈ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં બનેલ એક પક્ષી ઘરની નોંધ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા લેવામાં આવી છે, અને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે, સાંકળી ગામે યોજાયેલ એવોર્ડ સમારોહમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, સહીત અનેક મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જેતપુર તાલુકાના સાંકળી ગામે ખેડૂત પુત્ર ભગવાનજીભાઈ એ ગામના પાદરમાં એક પક્ષી ઘર બનાવ્યું, શિવલિંગ આકારનું આ પક્ષી ઘર બનવતા ભગવાનજી ભાઈ ને દોઢ વર્ષ અને 20 લાખનો ખર્ચ થયો હતો.

ખાસ માટીના માટલામાંથી બનેલ આ પક્ષી ઘરની વિશેષતા છે કે અહીં જે માટલા વપરાય છે તેમાં પક્ષીઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે.

10 હજારથી પણ વધારે પક્ષીઓ રહી શકે તેવી બનાવટ છે, ભગવાનજી ભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રેમની વાત થઈ શકે તેમ નથી. 

ભગવાનજીભાઈની આ મહનતની નોંધ દરેક લોકોએ લીધી હતી અને ભગવાનજીભાઈના આ પ્રયત્ન સાથે ભગવાનજીભાઈના પ્રયત્નને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા આ પ્રયત્નને જજ કરવામાં આવ્યો હતો.

જેમાં ભગવાનજીભાઈના પ્રયન્ત દ્વારા માત્ર પક્ષીઓ જ નહિ પરંતુ પક્ષીઓ દ્વારા જે કુદરતી રીતે વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર થશે અને વૃક્ષો પણ નવજીવન મળેશે. 

જેને લઈને ભગવાનજીભાઈના આ પ્રયત્નને બિરદાવા સાથે યુનિવર્સલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link