Black Rice Totke: કરિયરને મળશે રોકેટ જેવી ગતિ, પૈસાનો થશે વરસાદ, અપનાવો કાળા ચોખાના આ ઉપાય

Wed, 11 Jan 2023-7:55 pm,

કોઈપણ કુવામાં કાળા ચોખા નાખી દો. આમ કરવાથી ધન લાભનો યોગ બનવા લાગે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આ ઉપાયથી કારોબારમાં નફો જોવા મળે છે. 

 

 

અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી માટે ખુબ મહેનત કરી પરંતુ કોઈ તક ન મળી રહી હોય તો શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને સરસવનું તેલ અને કાળા તલ મિક્સ કરી ચઢાવો. આ સાથે ॐ शं शनैश्चराय नम: નો જાપ કરો. તેનાથી તમને નોકરી મળશે. તો નોકરી કરનાર લોકોના જીવનમાં આવી રહેલી દરેક સમસ્યા દૂર થશે. 

 

 

લગ્નના ઘણા વર્ષો પસાર થઈ ગયા હોય અને ઘરે બાળકનું આગમન ન થયું હોય તો શનિવારના દિવસે તેલના દીવામાં કાળા ચોખા નાખી પ્રગટાવો અને તેને પીપળાના ઝાડ નીચે રાખો. તેનાથી સંતાન પ્રાપ્તિનો અવસર બને છે. 

 

 

જો તમે લાંબા સમયથી બીમારીથી પરેશાન છો અને છુટકારો મળી રહ્યો નથી. તેવામાં સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગમાં કાળા ચોખા, દૂધ અને પાણીને મિક્સ કરી ચઢાવો. ત્યારબાદ મીઠા ભોગ ધરાવો. આમ કરવાથી બીમારીથી છૂટકારો મળે છે. 

 

 

દાંપત્ય જીવનમાં ખુશી માટે કાળા ચોખાનો ઉપાય કરી શકાય છે. દાંપત્ય જીવનમાં હંમેશા વિવાદની સ્થિતિ બની રહે છે, જીવનસાથીની સાથે કોઈને કોઈ વાતને લઈને અણબનાવ રહે છે તો પાણીમાં કાળા ચોખા નાખી પીપળાના ઝાડને ચઢાવો. આમ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશી આવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક સામાન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link