‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે

Thu, 17 Sep 2020-8:29 am,

અમદાવાદના crpf ના દિવ્યાંગ જવાનોએ આ પહેલ શરૂ કરી છે. જેમાં 4 જેટલા દિવ્યાંગ જવાનો સાઈકલિંગ કરીને આજે અમદાવાદથી દિલ્હી પહોંચશે. સાબરમતી આશ્રમથી તેઓની સફરને પીએમ મોદીના જન્મદિવસ પર લીલીઝંડી આપવામાં આવી હતી.

તેઓ આજથી આ સફરની શરૂઆત કરશે અને 2 ઓક્ટોબર ગાંધીજયંતીના દિવસે દિલ્હી રાજઘાટ પહોંચશે. 4 દિવ્યાંગ જવાનોનો જુસ્સો વધારવા માટે અન્ય 90 જવાનો પણ સાઈકલ રેલીમાં જોડાયા છે. જેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. તો ગાંધીનગરથી પણ કેટલાક જવાનો જોડાવાના છે. 

સમગ્ર રેલીમાં 980 કિલોમીટર અંતરનું સાઈકલિંગ કરાશે. આ રેલીનો ઉદ્દેશ દિવ્યાંગ પોતાને હિંમત ન છોડે અને તે પણ દેશ માટે કંઈ કરી શકે છે તે માટે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link