PICS: બોલીવુડમાં કલાકારો ધડાધડ નોનવેજ છોડી બનવા લાગ્યા શાકાહારી, કારણ છે જાણવા જેવું

Fri, 16 Oct 2020-7:57 am,

બોલીવુડ અભિનેત્રી અને પર્યાવરણવિદ ભૂમિ પેડણેકર લોકડાઉન દરમિયાન શાકાહારી બની ગઈ અને તે હવે તેને ખાવાનું પસંદ પણ કરી રહી છે. તેણે કહ્યું કે મને શાકાહારી બન્યે 6 મહિના થઈ ગયા છે અને હું સારી છું. અપરાધમુક્ત મહેસૂસ કરું છું અને શારીરિક રીતે પણ ખુબ મજબૂત મહેસૂસ કરું છું. હું અનેક વર્ષો પહેલા આ પગલું લેવા માંગતી હતી. પર્યાવરણ વોરિયરની સાથે કામ કરવાથી મને ઘણી વસ્તુઓ શીખવા મળી. 

અભિનેત્રી અને ફિટનેસ લવર શિલ્પાએ જુલાઈમાં ખુલાસો કર્યો કે તે સંપૂર્ણ રીતે શાકાહારી બની ગઈ છે. તેણે કહ્યું કે જાનવરોને ભોજન માટે મારવાથી માત્ર જંગલ જ નષ્ટ નથી થતા પરંતુ તે જળવાયું પરિવર્તન પાછળનું પણ એક પ્રમુખ કારણ છે. આ ઉપરાંત શાકાહારી બનવું આપણા અને આપણા ગ્રહના સ્વાસ્થ્ય માટે સારો ફેરફાર છે. 

આ જ મહિનાની શરૂઆતમાં રિતેશે કહ્યું હતું કે તેણે નોનવેજ, બ્લેક કોફી અને ગેસવાળા પીણા છોડી દીધા છે. તેણે કહ્યું હતું કે, 'હું મારા શરીરને સ્વસ્થ રાખવા માંગુ છું. જેથી કરીને જ્યારે અંતમાં મારા અંગોને દાન કરવાનો સમય આવે તો લોકો કહે કે જતા જતા સ્વસ્થ અંગો છોડીને ગયો.'  

લોકડાઉન દરમિયાન જેનેલિયા દેશમુખે કહ્યું કે મે કેટલાક વર્ષો  પહેલા શાકાહારી બનવાનો નિર્ણય લીધો હતો. આમ કરવું મુશ્કેલ હતું પરંતુ હું તેને અપનાવવા માટે  દૃઢ હતી. મને છોડવાઓની સુંદરતાનો અહેસાસ થયો, પછી મે તેમાંથી મળતા પોષક તત્વો પર ધ્યાન આપ્યું અને સૌથી મોટી વાત મને એ લાગી કે હવે હું જાનવરો પ્રત્યે ઓછી ક્રુર છું. 

એપ્રિલમાં જાણવા મળ્યું કે અભિનેતાએ પણ નોનવેજ છોડી દીધુ છે. આ ઉપરાંત અન્ય અનેક હસ્તીઓ છે જે પહેલેથી શાકાહાર અપનાવી ચૂક્યા છે. જેમાં અક્ષયકુમાર, શાહિદ કપૂર, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, મલાઈકા અરોરા, અને વિદ્યુત જામવાલ સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link