વડોદરા: એક નહીં 25 ઘા ઝીંકી વિદ્યાર્થીની થઈ હત્યા, જુઓ અરેરાટી ઉપજાવી નાખે તેવી તસવીરો

Fri, 22 Jun 2018-3:11 pm,

બરણપુરામાં આવેલા ભારતી વિદ્યાલયમાં 9માં ધોરણમાં ભણતા દેવકિશન ભગવાનદાસ તડવી નામના વિદ્યાર્થીની હત્યા કરી દેવાઈ છે. મૃતક વિદ્યાર્થીનો ધોરણ 10ના કોઈ વિદ્યાર્થી સાથે ઝગડો થયો હોવાનું કહેવાય છે.

શાળાના બાથરૂમમાં ચપ્પૂના ઘા મારેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે હાલ બે શાળાબેગ કબ્જે કરી છે. શાળામાં આવા ઘાતકી હથિયારો બાળકો પાસે કેવી રીતે આવ્યાં તે એક મોટો સવાલ છે.

એફએસએલના અધિકારીએ જણાવ્યું કે મૃતકની લાશ પાસેથી મરચા પાઉડરથી બનેલો પાઉડર અને અન્ય શસ્ત્રો પણ મળી આવ્યાં છે. મૃતદેહ પર અસંખ્ય ઈજાઓના નિશાન જોવા મળ્યાં છે. આથી આ એક પ્રિપ્લાન મર્ડર હોવાનું પણ બહાર આવ્યું છે. વિદ્યાર્થીના શરીર પર હત્યારાએ 25થી વધુ ઘા કર્યાં હોવાનું કહેવાય છે.

હત્યામાં બેથી વધુ લોકો સામેલ હોવાનું પણ કહેવાય છે. મળતી માહિતી મુજબ દેવ બાથરૂમમાં ગયો ત્યારે હત્યારો વિદ્યાર્થી પણ તેની પાછળ પાછળ પ્રવેશ્યો અને તેણે દેવ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેને છાતીના ભાગમાં ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતાં.

હત્યા કરીને દેવનો મૃતદેહ બાથરૂમમાં જ ફેંકી દીધો હતો. હાલ શાળાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. મૃતક વિદ્યાર્થી મામાના ઘરે રહેતો હતો. મૃતકના પરિજનો હાલ ઊંડા આઘાતમાં સરી પડ્યાં છે. રોકકળ મચાવી દીધી છે.

સહવિદ્યાર્થીએ જ દેવની હત્યા કરી હોવાની હાલ શંકા સેવાઈ રહી છે. ઝગડા બાદ આ હત્યા કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 9 અને  ધોરણ 10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તેના પગલે ધોરણ 9માં ભણતા દેવની હત્યા કરી હોવાનું કહેવાય છે. હત્યારો વિદ્યાર્થી હાલ ફરાર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link